Book Title: Jain Siddhanta Prashnottarmala 1
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust Songadh
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 387
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨૬ ) ઉ. જે કરણમાં (પરિણામસમૂહુમાં) ઉપરિતન સમયવર્તી તથા અધતન સમયવર્તી જીવોના પરિણામ સદેશ અને વિદેશ હોય તેને અધ:કરણ કહે છે. તે અધ:કરણ સાતમા ગુણસ્થાનમાં થાય છે. પ્ર. ૨૩૦-(૮) અપૂર્વકરણ પરિણામ કોને કહે છે? ઉ. જે કરણમાં ઉત્તરોત્તર અપૂર્વ અને અપૂર્વ પરિણામ થતા જાય અર્થાત્ ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સદા વિસદશ જ હોય અને એક સમયવર્તી જીવોના પરિણામ સદશ પણ હોય અને વિદેશ પણ હોય તેને અપૂર્વકરણ કહે છે, અને એ જ આઠમું ગુણસ્થાન છે. પ્ર. ૨૩૧-(૯) અનિવૃત્તિકરણ કોને કહે છે? ઉ. જે કરણમાં ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ વિસદશ જ હોય અને એક સમયવર્તી જીવોના પરિણામ સદશ જ હોય તેને અનિવૃત્તિકરણ ” કહે છે. આ જ નવમું ગુણસ્થાન છે. એ ત્રણેય કરણોમાં પરિણમનની પ્રતિસમય અનંતગુણી વિશુદ્ધતા થાય છે. પ્ર. ૨૩ર-(૧૦) સૂક્ષ્મસામ્પરાયગુણસ્થાનનું સ્વરૂપ શું છે? ઉ. અત્યંત સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત લોભકષાયના ઉદયને વશ થતા જીવને સૂક્ષ્મસાપરાય નામનું દશમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. પ્ર. ૨૩૩-(૧૧) ઉપશાન્તમોહ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? ઉ. ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ થવાથી યથાખ્યાત-ચારિત્રને ધારણ કરવાવાળા મુનિને અગિયારમું ઉપશાન્તમોહ નામનું ગુણસ્થાન થાય છે. આ ગુણસ્થાનનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415