Book Title: Jain Siddhanta Prashnottarmala 1
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust Songadh
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 386
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨૫) પ્ર. રરર-શ્રેણીના કેટલા ભેદ છે? ઉ. તેના બે ભેદ છે:- ૧. ઉપશમશ્રેણી અને ૨. ક્ષપકશ્રેણી. પ્ર. રર૩-ઉપશમશ્રેણી કોને કહે છે? ઉ. જે શ્રેણીમાં ચારિત્ર મોહનીયકર્મની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ થાય તેને ઉપશમશ્રેણી કહે છે. પ્ર. ૨૨૪-ક્ષપકશ્રેણી કોને કહે છે? ઉ. જે શ્રેણીમાં ઉપરની ર૧ પ્રકૃતિઓનો ક્ષય થાય તેને ક્ષપકશ્રેણી કહે છે. પ્ર. ૨૨૫-આ બન્ને શ્રેણીઓમાં કયા કયા જીવ ચઢે છે? ઉ. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ તો બન્નેય શ્રેણીએ ચઢે છે, અને દ્વિતીયોપશમ સમ્યગ્દષ્ટિ ઉપશમશ્રેણીએ જ ચઢે છે; તે ક્ષપકશ્રેણીએ ચઢતો નથી. પ્ર. રર૬-ઉપશમશ્રેણીને કયા કયા ગુણસ્થાન છે? ઉ. ઉપશમશ્રેણીને ચાર ગુણસ્થાન છે – ૧. આઠમું અપૂર્વકરણ, ૨. નવમું અનિવૃત્તિકરણ, ૩. દશમું સૂક્ષ્મસામ્પરાય અને ૪. અગિયારમું ઉપશાન્તમોહ ગુણસ્થાન છે. પ્ર. ૨૨૭-ક્ષપકશ્રેણીને કયા કયા ગુણસ્થાન છે? ઉ. તેને આઠમું અપૂર્વકરણ નવમું અનિવૃત્તિકરણ, દશમું સૂક્ષ્મસાપરાય અને બારમું ક્ષીણમોહ એ ચાર ગુણસ્થાન છે. પ્ર. ર૨૮-ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓના ઉપશમને તથા ક્ષયને આત્માના કયા પરિણામ નિમિત્તકારણ છે? ઉ. અધ:કરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ત્રણ પરિણામ નિમિત્તકારણ છે. પ્ર. ૨૨૯- અધ:કરણ પરિણામ કોને કહે છે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415