________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૬ ) ઉ. જે કરણમાં (પરિણામસમૂહુમાં) ઉપરિતન સમયવર્તી તથા
અધતન સમયવર્તી જીવોના પરિણામ સદેશ અને વિદેશ હોય તેને અધ:કરણ કહે છે. તે અધ:કરણ સાતમા
ગુણસ્થાનમાં થાય છે. પ્ર. ૨૩૦-(૮) અપૂર્વકરણ પરિણામ કોને કહે છે? ઉ. જે કરણમાં ઉત્તરોત્તર અપૂર્વ અને અપૂર્વ પરિણામ થતા
જાય અર્થાત્ ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સદા વિસદશ જ હોય અને એક સમયવર્તી જીવોના પરિણામ સદશ પણ હોય અને વિદેશ પણ હોય તેને અપૂર્વકરણ
કહે છે, અને એ જ આઠમું ગુણસ્થાન છે. પ્ર. ૨૩૧-(૯) અનિવૃત્તિકરણ કોને કહે છે? ઉ. જે કરણમાં ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ વિસદશ જ
હોય અને એક સમયવર્તી જીવોના પરિણામ સદશ જ હોય તેને અનિવૃત્તિકરણ ” કહે છે. આ જ નવમું ગુણસ્થાન છે.
એ ત્રણેય કરણોમાં પરિણમનની પ્રતિસમય અનંતગુણી વિશુદ્ધતા થાય છે. પ્ર. ૨૩ર-(૧૦) સૂક્ષ્મસામ્પરાયગુણસ્થાનનું સ્વરૂપ શું છે? ઉ. અત્યંત સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત લોભકષાયના ઉદયને વશ
થતા જીવને સૂક્ષ્મસાપરાય નામનું દશમું ગુણસ્થાન પ્રાપ્ત
થાય છે. પ્ર. ૨૩૩-(૧૧) ઉપશાન્તમોહ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? ઉ. ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ થવાથી
યથાખ્યાત-ચારિત્રને ધારણ કરવાવાળા મુનિને અગિયારમું ઉપશાન્તમોહ નામનું ગુણસ્થાન થાય છે. આ ગુણસ્થાનનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com