________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૬) ઉ. ના; કારણ કે તેમનામાં વસ્તુત્વ ગુણના કારણે દરેક ગુણનું
પ્રયોજનભૂત કાર્ય (નિર્મળ સ્વભાવરૂપ પરિણમન) સમયે
સમયે થઈ રહ્યું છે. પ્ર. ૧૦૨-દ્રવ્યનું “વસ્તુ” એવું નામ શાથી છે? ઉ. (૧) વસ્તુત્વ ગુણની મુખ્યતાથી દ્રવ્યને વસ્તુ કહે છે. (૨) જેમાં ગુણ, પર્યાય વસે છે તેને વસ્તુ કહે છે.
(ગોમ્મસાર જીવકાંડ-ગાથા ૬૭ર ટીકા) (૩) જેમાં સામાન્ય-વિશેષ સ્વભાવ હોય તેને વસ્તુ
કહે છે. (૪) દરેક દ્રવ્ય પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે તેથી તેને
વસ્તુ કહે છે. “વસ્તુ” એવું નામ એમ પણ બતાવે છે કે દરેક દ્રવ્યના ગુણ, પર્યાય પોતપોતાના દ્રવ્યમાં જ વસે છે, તેથી જીવના ગુણ, પર્યાય શરીરમાં કે પરદ્રવ્યમાં વસતા નથી. દરેક જીવના ગુણ, પર્યાય તે તે જીવમાં વસે છે, તેથી જીવને બીજા કોઈ દ્રવ્યનું આલંબન ખરેખર લેવું પડે એ સંભવતું જ નથી. દરેક દ્રવ્ય પોતામાં પરિપૂર્ણ જ છે.
(૩) દ્રવ્યત્વ ગુણ પ્ર. ૧૦૩-દ્રવ્યત્વ ગુણ કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com