________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૭) ઉ. જે ત્રણે લોક-ત્રણ કાલવર્તી સર્વ પદાર્થોને (* અનંત
ધર્માત્મક સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયોને) પ્રત્યેક સમયમાં યથાસ્થિત પરિપૂર્ણરૂપે સ્પષ્ટ અને એક સાથે જાણે તેને
કેવલજ્ઞાન કહે છે. પ્ર. ૧૬૫-શ્રદ્ધા (સમ્યકત્વ) ગુણ કોને કહે છે? ઉ. (૧) જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ
આત્માનો પ્રતિભાસ (યથાર્થ પ્રતીતિ) થાય તેને શ્રદ્ધા
(સમ્યકત્વ) કહે છે. (૨) સમ્યગ્દષ્ટિને નીચે મુજબની પ્રતીતિ હોય છે:
(૧) સાચા દેવ, ગુરુ અને ધર્મમાં દઢ પ્રતીતિ. (૨) જીવાદિ સાત તત્ત્વોની સાચી પ્રતીતિ. (૩) સ્વ-પરનું શ્રદ્ધાન. (૪) આત્મશ્રદ્ધાન.
ઉપરોક્ત લક્ષણોના અવિનાભાવ સહિત જે શ્રદ્ધા થાય છે તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. [ આ પર્યાયનો ધારક
* દ્રવ્ય, ગુણ, પર્યાયોને કેવલી ભગવાન જાણે છે, પણ તેના અપેક્ષિત ધર્મોને જાણી શકતા નથી—એમ માનવું તે અસત્ય છે. તેઓ અનંતને અથવા માત્ર પોતાના આત્માને જ જાણે પરંતુ સર્વને ન જાણે-એમ માનવું તે પણ ન્યાયથી વિરુદ્ધ છે. કેવળજ્ઞાની ભગવાન સર્વજ્ઞ હોવાથી અનેકાન્તાત્મક પ્રત્યેક વસ્તુને પ્રત્યક્ષ જાણે છે, કવલીના જ્ઞાનમાં કાંઈ પણ જણાયા વિના રહેતું નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com