________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૫) (૩) અવાય-હાથી જાણેલા પદાર્થમાં આ તે જ છે, અન્ય
નથી એવા દઢ જ્ઞાનને અવાય કહે છે; જેમકે - તે ઠાકુરદાસજી જ છે, બીજો કોઈ નથી.
અવાયથી જાણેલા પદાર્થમાં સંશય તો થતો નથી, પરંતુ વિસ્મરણ થઈ જાય છે. (૪) ધારણા-જે જ્ઞાનથી જાણેલા પદાર્થમાં કાળાન્તરમાં
સંશય તથા વિસ્મરણ ન થાય તેને ધારણા કહે છે. પ્ર. ૨૭૧-આત્માના અવગ્ર, ઈહા, અવાય અને ધારણાનું
સ્વરૂપ શું છે? ઉ. જીવને અનાદિથી પોતાના સ્વરૂપની ભ્રમણા છે, માટે પ્રથમ
આત્મજ્ઞાની પુરુષ પાસેથી આત્માનું સ્વરૂપ સાંભળીને યુક્તિ દ્વારા આત્મા જ્ઞાનસ્વભાવી છે એવો નિર્ણય કરવો.... પછી..
પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઈન્દ્રિય દ્વારા તથા મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિ તેને મર્યાદામાં લાવીને એટલે પર પદાર્થો તરફથી પોતાનું લક્ષ ખેંચી આત્મા પોતે જ્યારે સ્વસમ્મુખ લક્ષ કરે છે ત્યારે પ્રથમ સામાન્ય સ્થૂળપણે આત્મા સંબંધી જ્ઞાન થયું. અવગ્રહ પછી વિચારના નિર્ણય તરફ વળ્યો તે ઈહા; “આત્માનું સ્વરૂપ આમ જ છે અન્યથા નથી” એમ સ્પષ્ટ નિર્ણય થયો તે અવાય; અને નિર્ણય કરેલા આત્માના બોધને દઢપણે ધારી રાખવો તે ધારણા. ત્યાં સુધી તો પરોક્ષ એવા મતિજ્ઞાનમાં ધારણા સુધીનો છેલ્લો ભેદ થયો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com