________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકરણ ચોથું
“અભાવ ” અધિકાર
પ્ર. ૩૧૪-અભાવ કોને કહે છે? ઉ. એક પદાર્થનું બીજા પદાર્થમાં નહિ હોવાપણું તેને અભાવ
પ્ર. ૩૧૫-અભાવના કેટલા ભેદ છે? ઉ. ચાર ભેદ છે-(૧) પ્રાગભાવ, (૨) પ્રધ્વસાભાવ, (૩)
અન્યોન્યાભાવ અને (૪) અત્યંતભાવ. પ્ર. ૩૧૬-પ્રાગભાવ કોને કહે છે? ઉ. વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ-તેને પ્રાગભાવ
કહે છે. પ્ર. ૩૧૭-પ્રધ્વસાભાવ કોને કહે છે. ઉ. એક દ્રવ્યની વર્તમાન પર્યાયનો તે જ દ્રવ્યની આગામી
(ભવિષ્યનો) પર્યાયમાં અભાવ તેને પ્રધ્વસાભાવ કહે છે. (પ્રાગભાવ અને પ્રધ્વસાભાવ-બન્ને એક જ દ્રવ્યની
પર્યાયોને લાગુ પડે છે. ) પ્ર. ૩૧૮-શ્રુતજ્ઞાન (વર્તમાનમાં) છે. તેમાં પ્રાગભાવ અને
પ્રધ્વસાભાવ બતાવો. ઉ. શ્રુતજ્ઞાનનો મતિજ્ઞાનમાં પ્રાગભાવ છે અને શ્રુતજ્ઞાનનો
કેવળજ્ઞાનમાં પ્રધ્વસાભાવ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com