________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩) આ પ્રમાણે સાત તત્ત્વો સંબંધી ભૂલના કારણે અજ્ઞાની
જીવ અનંતકાલથી સંસારમાં ભટકી રહ્યો છે. પ્ર. ૯. -અજ્ઞાનીનું જીવાજીવ તત્ત્વનું શ્રદ્ધાન કેમ અયથાર્થ છે? ઉ. “જૈન શાસ્ત્રોમાં કહેલા જીવના ત્ર-સ્થાવર વગેરે ભેદોને, ગુણસ્થાન-માર્ગણા વગેરે ભેદોને, જીવ-પુદ્ગલ વગેરેના ભેદોને તથા વર્ણાદિ ભેદોને તો જીવ જાણે છે, પણ અધ્યાત્મ શાસ્ત્રોમાં ભેદવિજ્ઞાનના કારણભૂત અને વીતરાગદશા થવાના કારણભૂત વસ્તુનું જેવું નિરૂપણ કર્યું છે તેવું જે જાણતો નથી તેને જીવ-અજીવ તત્ત્વની યથાર્થ શ્રદ્ધા નથી...............જેમ અન્ય મિથ્યાષ્ટિ, નિર્ધાર વિના પર્યાયબુદ્ધિથી જાણપણામાં આ વર્ણાદિમાં અહંબુદ્ધિ ધારે છે, તેમ આ પણ આત્માશ્રિત જ્ઞાનાદિમાં તથા શરીરાશ્રિત ઉપદેશ-ઉપવાસાદિ ક્રિયાઓમાં પોતાપણું માને છે. વળી કોઈ વખત શાસ્ત્રાનુસાર સાચી વાત પણ બતાવે, પરંતુ
ત્યાં અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધાન નથી, તેથી જેમ કેફી મનુષ્ય માતાને માતા પણ કહે તોપણ તે શાણો નથી, તેમ આને પણ સમ્યગ્દર્શન કહેતા નથી.
વળી જેમ કોઈ બીજાને બીજાથી ભિન્ન બતાવતો હોય તેમ આ, આત્મા અને શરીરની ભિન્નતા પ્રરૂપે છે; પરંતુ હું એ શરીરાદિથી ભિન્ન છું-એવો ભાવ ભાસતો નથી. વળી પર્યાયમાં જીવ-પુદ્ગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે તે સર્વને બે દ્રવ્યોના મેળાપથી નીપજી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com