Book Title: Jain Siddhanta Prashnottarmala 1
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust Songadh
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 355
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૯૪) ૪. ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો, કારણ કે એ અભ્યાસથી આત્મઅનુભવની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કોઈ વેળા દેવાદિના વિચારમાં, કોઈ વેળા તત્ત્વ વિચારમાં કોઈ વેળા સ્વ-૫૨ના વિચારમાં તથા કોઈ વેળા આત્મવિચારમાં ઉપયોગને લગાવવો. એ પ્રમાણે અભ્યાસથી દર્શનમોહ મંદ થતો જાય છે અને જીવ એ પુરુષાર્થ ચાલુ રાખે તો એ જ અનુક્રમથી તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. (મોક્ષમાર્ગ પ્રકાશક-પૃષ્ઠ ૩૩૦) પ્ર. ૧૪૪–એ ક્રમ ન સ્વીકારે તો શું થાય ? ઉ. એ ક્રમનું ઉલ્લંઘન કરે એવા જીવને દેવાદિકની માન્યતાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી. પોતાને તે જ્ઞાની માને પણ એ બધી ચતુરાઈની વાતો છે; માટે જ્યાં સુધી જીવને સાચા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ક્રમથી ઉ૫૨ કહ્યા પ્રમાણે કાર્ય કરવું જોઈએ. (મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૩૨૯) પ્ર. ૧૪૫–સાત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધામાં દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા કેવી રીતે આવી જાય છે? ઉ. ૧. મોક્ષતત્ત્વ સર્વજ્ઞ-વીતરાગસ્વભાવ છે, તેના ધારક શ્રી અરહંત-સિદ્ધ છે તે જ નિર્દોષ દેવ છે, માટે જેને મોક્ષતત્ત્વની શ્રદ્ધા છે તેને સાચા દેવની શ્રદ્ધા છે. ૨. સંવ-નિર્જરા નિશ્ચયરત્નત્રયસ્વભાવ છે, તેના ધારક ભાવલિંગી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415