________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૪)
૪. ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો, કારણ કે એ અભ્યાસથી આત્મઅનુભવની પ્રાપ્તિ થાય છે.
એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કોઈ વેળા દેવાદિના વિચારમાં, કોઈ વેળા તત્ત્વ વિચારમાં કોઈ વેળા સ્વ-૫૨ના વિચારમાં તથા કોઈ વેળા આત્મવિચારમાં ઉપયોગને લગાવવો. એ પ્રમાણે અભ્યાસથી દર્શનમોહ મંદ થતો જાય છે અને જીવ એ પુરુષાર્થ ચાલુ રાખે તો એ જ અનુક્રમથી તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે.
(મોક્ષમાર્ગ પ્રકાશક-પૃષ્ઠ ૩૩૦)
પ્ર. ૧૪૪–એ ક્રમ ન સ્વીકારે તો શું થાય ?
ઉ. એ ક્રમનું ઉલ્લંઘન કરે એવા જીવને દેવાદિકની માન્યતાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી. પોતાને તે જ્ઞાની માને પણ એ બધી ચતુરાઈની વાતો છે; માટે જ્યાં સુધી જીવને સાચા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ક્રમથી ઉ૫૨ કહ્યા પ્રમાણે કાર્ય કરવું જોઈએ.
(મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૩૨૯) પ્ર. ૧૪૫–સાત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધામાં દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા કેવી રીતે આવી જાય છે?
ઉ. ૧. મોક્ષતત્ત્વ સર્વજ્ઞ-વીતરાગસ્વભાવ છે, તેના ધારક શ્રી અરહંત-સિદ્ધ છે તે જ નિર્દોષ દેવ છે, માટે જેને મોક્ષતત્ત્વની શ્રદ્ધા છે તેને સાચા દેવની શ્રદ્ધા છે.
૨. સંવ-નિર્જરા નિશ્ચયરત્નત્રયસ્વભાવ છે, તેના ધારક ભાવલિંગી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com