________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૯) પ્ર. ૧૩૬-દ્રવ્ય, ગુણ, પર્યાય-ત્રણેના જુદા-જુદા અથવા નાના
મોટા આકાર હોય? ઉ. ના; દ્રવ્યનો આકાર તે જ ગુણ અને પર્યાયનો આકાર છે,
કારણ કે ત્રણેનું ક્ષેત્ર એક છે; માટે ત્રણેનો આકાર સરખો
અને એક છે. પ્ર. ૧૩૭-દ્રવ્ય ત્રિકાળ અને પર્યાય એક સમય પૂરતો છે, તેમાં
કોનો આકાર મોટો ?
ઉ. બન્નેનો આકાર સરખો છે. પ્ર. ૧૩૮-કેટલીક વસ્તુનો આકાર તો ઘણો કાળ એકસરખો
દેખાય છે, તો તેને બદલવામાં કેટલો કાળ લાગતો હશે? ઉ. તેઓ નિરન્તર દરેક સમયે બદલાયા જ કરે છે, પણ સ્કૂલ
દષ્ટિથી લાંબો કાળ તેનો એકસરખો આકાર દેખાય છે. પ્ર. ૧૩૯-સોનાના પિંડમાંથી મુકુટ થયો તેમાં કયો ગુણ કારણ
છે? ઉ. આકાર થયો તેમાં પ્રદેશત્વ ગુણ અને જૂની અવસ્થા બદલી
નવી થઈ તેમાં, દ્રવ્યત્વ ગુણ કારણ છે. પ્ર. ૧૪૦-આ “પુસ્તકમાં છએ સામાન્ય ગુણો ઉતારો. ઉ. (૧) આ પુસ્તકમાં તેના પરમાણુનો કદી નાશ થતો નથી,
કેમકે તેમાં અસ્તિત્વ ગુણ છે. (૨) તેમાં અર્થક્રિયા છે, કેમકે તેમાં વસ્તુત્વ ગુણ છે;
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com