________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૭) પલટીને દહીંરૂપ થાય છે. તેમાં છાશ તો નિમિત્તમાત્ર છે.
જ્યારે દૂધના પરમાણુ પોતાના ક્ષણિક ઉપાદાનની યોગ્યતાથી દહીં થવારૂપ કાર્ય કરે છે, ત્યારે છાશ વગેરેને
નિમિત્તમાત્ર કહેવાય છે. પ્ર. ૧૩૧-આ ઉપરથી શું સિદ્ધાન્ત સમજવો? ઉ. જીવ જ્યારે પોતે પોતાથી સ્વસમ્મુખ થઈ પોતાનું સ્વરૂપ સમ્યક્ષણે સમજે છે ત્યારે સમ્યજ્ઞાનીનો ઉપદેશ વગેરે તેને નિમિત્તરૂપે હોય છે. એ રીતે સર્વત્ર ઉપાદાનથી જ કાર્ય થાય છે. કોઈ નિમિત્તની કદી પણ રાહ જોવી પડતી
નથી પણ નિમિત્ત તે સમયે હોય છે ખરું. પ્ર. ૧૩ર-આત્મા મોક્ષદશા પામતાં તેજમાં તેજ ભળી ગયું એમ
માનવામાં આવે તો શો દોષ આવે? ઉ. (૧) એમ માનનારે અગુરુલઘુત્વ ગુણ અને
અસ્તિત્વગુણને સ્વીકાર્યા નહિ. (૨) મોક્ષ જનાર જીવ સ્વતંત્ર અને સુખી ન થયો પણ
નાશ પામ્યો.
આથી મોક્ષદશા પામે તે બીજામાં ભળી જાય એમ માનનારો પોતાનો પણ મોક્ષમાં નાશ માને છે; માટે પોતાનો નાશ થાય એવો ધર્મ કોણ ડાહ્યો પુરુષ કરે? અર્થાત્ ન જ કરે. પ્ર. ૧૩૩-જીવ સંસાર-દશામાં એકેન્દ્રિયપણાને પામે, ત્યારે તેના
ગુણો ઘટી જાય અને પંચેન્દ્રિયપણાને પામે ત્યારે તેના ગુણો વધી જાય-એમ બને?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com