________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૧) પ્ર. ૧૪૪-જે દ્રવ્યો છે તેનો કદી નાશ નથી અને તે બીજામાં
ભળતાં નથી-તેમાં કયા ગુણો કારણભૂત છે? ઉ. અસ્તિત્વગુણ અને અગુરુલઘુત્વગુણ. પ્ર. ૧૪૫-જે સ્વભાવ છે તે ગુપ્ત રહે નહિ, તે કોઈમાં ભળે
નહિ, નાશ પામે નહિ, બદલ્યા વિના રહે નહિ-તેમાં કયા
ગુણ કારણભૂત છે? ઉ. તેમાં અનુક્રમે, પ્રમેય, અગુરુલઘુત્વ અસ્તિત્વ અને
દ્રવ્યત્વ ગુણ કારણભૂત છે. પ્ર. ૧૪૬-છએ સામાન્ય ગુણોનું પ્રયોજન ટૂંકામાં શું છે? ઉ. (૧) કોઈ દ્રવ્યની કદી ઉત્પત્તિ કે નાશ નથી, માટે કોઈ
કોઈનો કર્તા નથી-એમ અસ્તિત્વ ગુણ સૂચવે છે. (૨) દરેક દ્રવ્ય નિરંતર પોતાની જ પ્રયોજનભૂત ક્રિયા કરે
છે, તેથી કોઈ દ્રવ્ય એક સમય પણ પોતાના કામ (કાર્ય) વિના નકામું હોતું નથી-એમ વસ્તુત્વ ગુણ
બતાવે છે. (૩) દરેક દ્રવ્ય નિરંતર પ્રવાહકમે પ્રવર્તતી પોતાની નવી
નવી અવસ્થાઓને સદાય પોતે જ બદલે છે, માટે કોઈના કારણે પર્યાય પ્રવર્તે કે રોકાય એવું પરાધીન
કોઈ દ્રવ્ય નથી-એમ દ્રવ્યત્વ ગુણ બતાવે છે. (૪) દરેક દ્રવ્યમાં જણાવાયોગ્યપણું હોવાથી જ્ઞાનથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com