________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૪) પ્ર. ૧૨૫-અગુરુલઘુત્વ ગુણ ઉપરથી વિશેષ શું સમજવું? ઉ. (૧) કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યને આધીન નથી. (૨) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહિ. (૩) દ્રવ્યનો એક ગુણ તે જ દ્રવ્યના બીજા ગુણનું કાંઈ
કરી શકે નહિ. (૪) કોઈ દ્રવ્યનો પર્યાય બીજા દ્રવ્યના પર્યાયમાં કાંઈ કરી
શકે નહિ, તેઓ એકબીજાને આધીન નથી. (૫) અગુરુલઘુત્વ ગુણનું આવું યથાર્થ સ્વરૂપ જાણતાં
જગતનાં છયે દ્રવ્યોનાં દ્રવ્ય-ગુણ-પર્યાય ભિન્ન ભિન્ન અને સ્વતંત્ર છે અને તે બધાથી હું જ્ઞાનસ્વભાવી આત્મા ભિન્ન છું-એ પ્રકારે ભેદજ્ઞાનરૂપી અપૂર્વ ધર્મ
પ્રગટ થાય. પ્ર. ૧૨૬-એક દ્રવ્યમાં રહેલા ગુણો પરસ્પર એકબીજાનું કામ
કરે? ન કરે તો તેની વ્યવસ્થા શી રીતે છે? ઉ. અગુસ્લધુત્વના કારણે એક ગુણ બીજા ગુણરૂપ ન થાય,
તેથી એક ગુણનું કાર્યક્ષેત્ર બીજામાં ન જાય; આમ હોવાથી એક દ્રવ્યમાં પણ એક ગુણ બીજા ગુણના કાર્યને કરી શકે નહિ, પણ દરેક ગુણ નિત્ય પરિણામસ્વભાવી હોવાથી દરેક સમયે પોતાના નવા-નવા પર્યાય ઉત્પન્ન કરે છે, તેમાં બીજા ગુણના પર્યાયો નિમિત્તમાત્ર કહેવાય છે. એક ગુણના વર્તમાન પર્યાયમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com