________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨) ઉ. તે પોતે પોતાને જ પરિણમનમાં નિમિત્ત છે, પ્ર. ૪૮-લોકાકાશની હદ બતાવનારાં કયાં દ્રવ્યો છે? ઉ. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. પ્ર. ૪૯-બધાં દ્રવ્યોને ચેતન, અચેતન (જડ)-એમ બે
વિભાગમાં મૂકો. ઉ. ચેતન ફક્ત જીવ છે અને બાકીનાં પાંચ દ્રવ્યો અચેતન
(જડ) છે. પ્ર. ૫૦-અરૂપી અને અચેતન એવાં કેટલાં દ્રવ્યો છે? ઉ. ચાર છે- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાલ. પ્ર. ૫૧-આકાશના એક પ્રદેશમાં કેટલાં પરમાણુ છૂટા તથા
કેટલા સ્કંધો રહી શકે ? ઉ. (૧) આકાશના એક પ્રદેશમાં સર્વ પરમાણુઓને સ્થાન
દેવાનું સામર્થ્ય છે. (૨) સર્વ પરમાણુ તથા સૂક્ષ્મ સ્કંધોને અવકાશ દેવામાં તે
એક પ્રદેશ સમર્થ છે.
(બૃહદ્ દ્રવ્યસંગ્રહ, ગાથા ૨૭ અને તેની ટીકા) પ્ર. પર-છ દ્રવ્યોમાં ક્ષેત્રમંતરરૂપ * ક્રિયાવતી-શક્તિવાળા
* જીવ અને પુલમાં ક્રિયાવતી શક્તિ નામનો ગુણ નિત્ય છે. તે
શક્તિના કારણે તે બન્ને દ્રવ્યો તે સમયની યોગ્યતાનુસાર સ્વતઃ ગમન કરે છે યા સ્થિર રહે છે. કોઈ દ્રવ્ય (જીવ યા પુદ્ગલ) એકબીજાને ગમન યા સ્થિર કરાવી શકતું નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com