________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૦) ભાગનું દ્રવ્ય, ગુણરહિત થાય, અને એમ થતાં દ્રવ્યનો પણ નાશ થાય.
(૨) જેમ, જેટલો મોટો સાકરનો ગાંગડો છે તેના તેટલા જ ભાગમાં તેના ગળપણ આદિ ગુણો છે, તેમ, જેટલા ભાગમાં દ્રવ્ય, તેના તેટલા ભાગમાં ગુણ એવી જે ક્ષેત્ર અપેક્ષા છે તે મર્યાદા ન રહે. પ્ર. ૭૬-ગુણની વ્યાખ્યામાંથી કાળ અપેક્ષા બતાવનારા-સર્વ
હાલતોમાં” –એ શબ્દો કાઢી નાખવાથી શો દોષ આવે ? ઉ. કાળ અપેક્ષાએ દ્રવ્યમાં અનાદિ-અનંત સર્વ હાલતોમાં રહે
તે ગુણ-એવી વ્યાખ્યા ન બને અને તેથી નીચે મુજબ દોષ આવે:
(૧) ગુણ, દ્રવ્યના અમુક કાળમાં રહે તેથી બાકીના કાળમાં દ્રવ્ય ગુણરહિત થવાથી દ્રવ્યનો જ નાશ થઈ જાય.
(૨) કોઈ કાળે જ ગુણની સ્થાતી (સત્તા) માનતાં દ્રવ્યની સર્વ અવસ્થામાં વ્યાપક રહેવારૂપ ગુણની મર્યાદા ન રહે. પ્ર. ૭૭-ગુણોના કેટલા પ્રકાર છે? ઉ. બે છે (૧) સામાન્ય અને (૨) વિશેષ. પ્ર. ૭૮–સામાન્ય ગુણ કોને કહે છે? ઉં. જે સર્વ દ્રવ્યોમાં હોય તેને સામાન્ય ગુણ કહે છે. પ્ર. ૭૯-વિશેષ ગુણ કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com