________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫) કાળ એ પાંચ દ્રવ્ય છે, ત્યાં સુધીના આકાશને લોકાકાશ
કહ્યું છે. પ્ર. ૧૬-અલોકાકાશ કોને કહે છે? ઉ. લોકાકાશની બહારના અનંત આકાશને અલોકાકાશ કહે છે. પ્ર. ૧૭-લોકાકાશ અને અલોકાકાશ એ બન્નેના રંગમાં શો
ફેર? અને બન્નેમાં કોણ મોટું? ઉ. આકાશ દ્રવ્ય અરૂપી હોવાથી તેને રંગ હોય નહિ. આકાશ
એક અખંડ દ્રવ્ય છે. જેટલા ભાગમાં છ દ્રવ્યોનો સમૂહ છે તેટલા ભાગને લોકાકાશ કહેવાય છે. તે નાનો ભાગ છે અને બાકીનું ચોતરફ અલોકાકાશ છે તે લોકાકાશથી
અનંતગણું મોટું છે. પ્ર. ૧૮-અલોકાકાશમાં કેટલાં દ્રવ્યો છે અને તેના પરિણમનમાં
કોનું નિમિત્ત છે? ઉ. અલોકાકાશમાં આકાશ સિવાય બીજા કોઈ દ્રવ્યો નથી.
આખા આકાશ દ્રવ્યના પરિણમનમાં લોકાકાશમાં રહેલા
કાલાણુ દ્રવ્યો નિમિત્ત છે. પ્ર. ૧૯-એક આકાશપ્રદેશમાં એક જ જાતનાં જ બે દ્રવ્યો કદી
સાથે ન રહે, તે દ્રવ્યનું નામ શું? ઉ. કાલાણ દ્રવ્ય; કેમકે દરેક કાલાણુ દ્રવ્ય લોકાકાશના
* જે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ રહિત હોય તે અરૂપી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com