________________
જૈન ઈતિહાસ અણહિલ્લપુરપાટણમાં પધાર્યા.
હવે અહીં ધનપાળે પોતાના પિતાને ઠપકો આપ્યો કે, તમોએ દ્રવ્યને માટે પુત્રને વેચ્યો, માટે હવે મારે તમારી સાથે રહેવું ઉચિત નથી; એમ કહી તેમનાથી જુદો પડ્યો. તથા તેણે ભોજરાજાને પણ સમજાવ્યું કે, આવા પાખંડી જૈનયતિઓ આપણા દેશમાં આવીને સ્ત્રી તથા બાળકોને ઠગે છે. તે સાંભળી મુગ્ધ ભોજરાજાએ પણ આજ્ઞાપત્ર કાઢીને પોતાના દેશમાં જૈનમુનિઓનો વિહાર બંધ કરાવ્યો; તથા તેથી બાર વર્ષ સુધી માનવામાં જૈનમુનિઓનો વિહાર બંધ રહ્યો. હવે અહીં શોભાનાચાર્ય સિદ્ધાંતોમાં પારંગામી થવાથી મહેન્દ્રસૂરિએ તેમને વાચનાચાર્યની પદવી આપી; એવામાં અવંતીદેશના સંઘની વિનંતિ આવવાથી શોભનાચાર્યે ગુરુ મહારાજને કહ્યું કે, તે ભગવન્! જો આપ આજ્ઞા આપો તો હું મારા ભાઈ ધનપાળને પ્રતિબોધવા માટે ધારાનગરીમાં જાઉં. પછી ગુરુમહારાજે આજ્ઞા આપવાથી શોભનાચાર્ય કેટલાક ગીતાર્થ મુનિઓ સહિત ધારાનગરીમાં પધાર્યા, તથા ત્યાં તેમણે ધનપાળને ઘેર બે મુનિઓને ગોચરી માટે મોકલ્યા. તે વખતે ધનપળ સ્નાન કરવાની તૈયારી કરતો હતો. પછી તે સાધુઓ જ્યારે ધર્મલાભ દઈ ઊભા ત્યારે ધનપાળે પોતાની સ્ત્રીને કહ્યું કે, આ સાધુઓને જે ભિક્ષા જોઈએ તે આપો. કેમ કે ઘેર આવેલો અર્થી જો નિરાશ થઈ પાછો જાય તો મહાન્ અધર્મ થાય. પછી તે સાધુઓને જ્યારે દહીં આપવા માંડ્યું, ત્યારે સાધુઓએ પૂછ્યું કે, આ દહીં કેટલા દિવસનું છે? ત્યારે ધનપાળે ગુસ્સે થઈ કહ્યું કે, આ દહીં ત્રણ દિવસનું છે, શું તેમાં કંઈ જીવ પડ્યા - છે? તમે તો કોઈક નવીન દયાળુ જેવા દેખાઓ છો. તમારે જોઈતું
હોય તો લ્યો, નહીં તો અહીંથી તુરત ચાલ્યા જાઓ. ત્યારે સાધુઓએ " કહ્યું કે, હે ધનપાળ ! અમારો તેમ પૂછવાનો આચાર છે, તમે શા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org