Book Title: Jain Itihas
Author(s): Hemratnasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 202
________________ પ્રકરણ - ૨૬ વિક્રમ સંવત ૧૦૦૧ થી ૧૯૬૪ (હુંઢકોની ઉત્પત્તિ, મોતીશાહ શેઠ, શ્રી વિજયાનંદસૂરિ, શેઠ પ્રેમચંદ રાયચંદ, શેઠ કેશવજી નાયક, શેઠ નરસી નાથા) ટુટકોની ઉત્પત્તિ, વિક્રમ સંવત ૧૦૧૩ સુરતમાં વીરજી વોરા નામનો એક દશાશ્રીમાળી વણિક વસતો હતો. તેને ફુલાં નામની એક બાળવિધવા પુત્રી હતી. તેણીએ એક લવજી નામના છોકરાને ખોળે લીધો હતો. તે છોકરો હંમેશાં લોકાના ઉપાશ્રયમાં ભણવા જતો હતો. ત્યાં યતિઓની સંગતથી તેને વૈરાગ્ય થયો અને તેથી તે લોકાગચ્છના યતિ બજરંગનો શિષ્ય થયો. બે વર્ષ બાદ તેણે પોતાનો ઢંઢકોનો નવો મત ચલાવ્યો, તથા મુખે મુહપત્તિનો ટુકડો બાંધવા લાગ્યો. લોકોએ તેનો નવો વેષ જોઈને ઊતરવા માટે જગા આપી નહીં. જેથી તે એક ઉજ્જડ મકાનમાં રહ્યો. ઉજ્જડ મકાનને ગુજરાત તથા મારવાડમાં ઢંઢાં કહે છે, અને તેથી તે ઢંઢક કહેવાવા લાગ્યો. અનુક્રમે તેના શિષ્ય પ્રશિષ્યો ઢેઢકના નામથી ઓળખાવા લાગ્યા; તથા તેમના ઉપદેશ મુજબ ચાલનારાઓ પણ ઢુંઢીયાના નામથી પ્રસિદ્ધ થયા. મોતીશાહ શેઠ, વિક્રમ સંવત ૧૮૯૩ આ મોતીશાહ શેઠ સુરત શહેરના રહેવાસી મહા ધનવાન શ્રાવક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210