________________
૧૫૪
જૈન ઈતિહાસ રચવા માંડી. એક દિવસે આચાર્યજી મહારાજનો કોઈક શિષ્ય આહાર લઈને આવતો હતો, તે આહારની ઝોળીમાં તે યોગીએ હાથચાલાકી વાપરી ઝેર નાખી દીધું; તથા તે શિષ્ય સાથે તે કેટલીક મીઠી વાતો કરીને ચાલ્યો ગયો. તે મુગ્ધ મુનિને તે બાબતની ખબર ન રહેવાથી તે આહાર તેમણે હેમચંદ્રસૂરિજીને ભોજન માટે આપ્યું. ભોજન કર્યા બાદ તેમનું શરીર કંપવા લાગ્યું, ત્યારે તુરત તેમણે તે શિષ્યને બોલાવી પૂક્યાથી માર્ગમાં મળેલા તે યોગીની હકીકત માલૂમ થઈ; જેથી આચાર્યજીએ વિચાર્યું કે, જેમ ભાવિ બનનાર હતું તેમ બન્યું છે. પછી તેમણે પોતાના શિષ્યોને બોલાવી કહ્યું કે, જ્યાં મારી ચિતા સળગાવો, ત્યાં મારા મસ્તક નીચે એક દૂધથી ભરેલું પાત્ર રાખજો, જેથી મારા મસ્તકમાં રહેલું મણિ તેમાં પડશે, તે મણિને તમે સાચવીને રાખજો અને કોઈ પણ રીતે તે મણિને તે યોગીના હાથમાં જવા દેશો નહીં. એમ કહી અનશન કરી હેમચંદ્રસૂરિજી મહારાજ ચોર્યાશી વર્ષનું આયુષ્ય ભોગવી વિક્રમ સંવત ૧૨૨૯માં સ્વર્ગે પધાર્યા. ત્યારબાદ કુમારપાળ રાજાનું અજયપાળે આપેલા ઝેરથી વિક્રમ સંવત ૧૨૩૦ માં મૃત્યુ થયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org