Book Title: Jain Itihas
Author(s): Hemratnasuri
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 183
________________ ૧૬૬ જૈન ઈતિહાસ મહારાજ ઘણા પ્રભાવિક થયેલા છે. રાણકપુરનું જિનમંદિર, વિક્રમ સંવત ૧૪૦૦ આ રાણકપુરજીનું જિનમંદિર મારવાડમાં આવેલા સાદડી નામના ગામ પાસે હાલ જંગલમાં આવેલું છે. પ્રાચીન કાળમાં તે જગાએ રાણકપુર નામે મોટું શહેર હતું, અને ત્યાં ઇતિહાસમાં પ્રખ્યાત થયેલાં કુંભારાણાનું રાજ્ય હતું. તે વખતે ત્યાં પોરવાડ જ્ઞાતિનો મહાદ્રવ્યવાન અને જૈનધર્મની સંપૂર્ણ શ્રદ્ધાવાળો ધનાશાહ કરીને શાહુકાર વસતો હતો. તેણે આ ગંજાવર જિનમંદિર શ્રી સોમસુંદરસૂરિજીના ઉપદેશથી બંધાવેલું છે. તે જિનમંદિર હિંદુસ્તાનમાં સર્વ જિનમંદિરો કરતાં ઘણું જ વિશાળ છે, અને તેની અંદર ચૌદસો ચુમ્માળીસ તંભો છે. સેંકડો જિનમૂર્તિઓ તેમાં પધરાવેલી છે. તે જિનમંદિરમાં તે મંદિર બનાવવા સંબંધી હકીકતને સૂચવનારો એક શિલાલેખ છે કે જે શિલાલેખ એક સફેદ આરસપાસના થંભમાં કોતરેલો છે, તે લેખની લંબાઈ ત્રણ ફૂટ અને ચાર ઇંચ અને પહોળાઈ એક ફૂટ અર્ધા ઇંચની છે. કાળના ઘસારાને લીધે તેમાંના કેટલાક અક્ષરો જો કે ઘસાઈ ગયા છે, તો પણ તે સારી રીતે વાંચી શકાય તેવા છે. આ ગંજાવર જિનમંદિર બાંધવામાં તે ધનાશાહ પોરવાડે નવાણું ક્રોડ દ્રવ્ય ખરચ્યું છે, એવી દંતકથા છે. આ જિનમંદિર વિક્રમ સંવત ૧૪૦૬ માં બાંધેલું છે, તથા તેની પ્રતિષ્ઠા શ્રી સોમસુંદરસૂરિજીએ કરેલી છે. મુનિસુંદરસૂરિ, વિક્રમ સંવત ૧૪૭૮ શ્રી સોમસુંદરસૂરિજીની પાટે શ્રી મુનિસુંદરસૂરિ થયા. તે મહાવિદ્વાન થયેલા છે. વિક્રમ સંવત ૧૪૭૮ માં તેમને આચાર્ય પદવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210