Book Title: Jain Itihas
Author(s): Hemratnasuri
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 184
________________ ૧૬૭. જૈન ઈતિહાસ મળેલી હતી. તેમણે ઉપદેશ રત્નાકર, અધ્યાત્મકલ્પદ્રુમ આદિ ઘણા ગ્રંથો રચેલા છે. તેમને કાળીસરસ્વતીનું બિરુદ મળ્યું હતું. તથા મુઝફરખાન તરફથી વાદિગોકુળશંઢનું બિરુદ પણ મળ્યું હતું. તેમને માટે એમ કહેવાય છે કે, તે હંમેશાં એક હજાર શ્લોકો કંઠે કરી શકતા હતા. તેમણે સંતિકર નામનું સ્તોત્ર રચીને દેશમાં ચાલતા મરકીના ઉપદ્રવનો નાશ કર્યો હતો. તેમના ઉપદેશથી ધારાનગરી આદિ પાંચ નગરીઓના રાજાઓએ અમારી પડહ વગડાવ્યો. શિરોહીમાં તીડોનો ઉપદ્રવ તેમણે દૂર કર્યો, તેથી ત્યાંના રાજાએ પણ ખુશ થઈને પોતાના રાજ્યમાં અમારી પડહ વગડાવ્યો. વડનગરના દેવરાજશાહ નામના શ્રાવકે બત્રીસ હજાર રૂપિયા ખર્ચીને તેમના સૂરિપદનો મહોત્સવ કર્યો. એવી રીતે આ શ્રી મુનિસુંદરસૂરિજી મહારાજ મહાપ્રભાવિક થયા છે. રત્નશેખરસૂરિ, વિક્રમ સંવત ૧૫૦૨ - શ્રી મુનિસુંદરસૂરિજીની પાટે શ્રી રત્નશેખરસૂરિ થયા. આ આચાર્યજી મહાવિદ્વાન થયેલા છે. તેમણે શ્રાદ્ધ પ્રતિક્રમણ વૃત્તિ, શ્રાદ્ધવિધિસૂત્રવૃત્તિ, લઘુક્ષેત્ર સમાસ તથા આચારપ્રદીપ આદિ ઘણા ગ્રંથો રચ્યા છે. તેમની વિદ્વતા જોઈ ખંભાતમાં બાંધી નામના ભટ્ટ તેમને બાળસરસ્વતીનું બિરુદ આપ્યું હતું. તેમના સમયમાં વિક્રમ સંવત ૧૫૦૮ માં લુપકોની ઉત્પત્તિ થઈ છે. તેનું વૃત્તાંત નીચે મુજબ છે. * લુપકોની ઉત્પત્તિ, વિક્રમ સંવત ૧૫૦૮ ગુજરાતમાં આવેલા અમદાવાદ શહેરમાં એક લંકા નામનો લહીયો રહેતો હતો. તે એક જ્ઞાનજી નામના યતિના ઉપાશ્રયમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210