________________
જૈન ઈતિહાસ
૧૩૫ માણિક્યચંદ્રસૂરિ, વિક્રમ સંવત ૧૨૦૬ આ શ્રી માણિક્યચંદ્રસૂરિ કોટિ ગણની વજશાખાના રાજગચ્છમાં થયેલા શ્રી સાગરચંદ્રસૂરિજીના શિષ્ય હતા અને તે વિક્રમ સંવત ૧૨૭૬ માં વિદ્યમાન હતા. તેમણે તે સાલમાં દીવ બંદરમાં ચાતુર્માસ રહીને પાર્શ્વનાથ ચરિત્ર રચ્યું છે; વળી તેમણે કાવ્યપ્રકાશ સંકેત, તથા નલાયન નામના ગ્રંથો રચ્યા છે. તેમણે પાર્શ્વનાથ ચરિત્ર કેવ રીતે રચ્યું? તે વિષેનું વૃત્તાંત એવું છે કે, કુમારપાળ રાજાની સભામાં ભિલ્લમાલ નામના કુળમાં ઉત્પન્ન થયેલા વર્ધમાન નામે એક માનીતા ગૃહસ્થ હતા. તેમને માદુ નામની એક ગુણવાન સ્ત્રી હતી. તેણીની કુલિએ ત્રિભુવનપાળ, મલ્ડ અને દેહડ નામના ત્રણ પુત્રોનો જન્મ થયો હતો. તેમાંના હિડને પાલ્ડન નામે એક પુત્ર હતો, અને તે કવિત્વ શક્તિમાં ઘણા હોશિયાર હતો. એક વખતે તે દેહડ પોતાના પુત્ર પાલ્હનને લઈને માણિક્યચંદ્રસૂરિજી પાસે આવ્યો; અને આચાર્યજીને કહ્યું કે, આપના પૂર્વજો શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ તથા શ્રી અભયદેવસૂરિજીએ મહાન્ ગ્રંથો રચ્યા છે; તો આપ પણ કોઈક તેવો ગ્રંથ રચો. તે સાંભળી આ મહાવિદ્વાન શ્રી માણિક્યચંદ્રસૂરિજીએ પાર્શ્વનાથ ચરિત્ર નામનો ગ્રંથ રચ્યો.
૩૩
- જિનપતિસૂરિ, વિક્રમ સંવત ૧૨૩૩
આ શ્રી જિનપતિસૂરિ ખરતર ગચ્છમાં થયેલા શ્રી જિનચંદ્રસૂરિજીના શિષ્ય હતા; તેમણે જિનેશ્વરસૂરિજીએ રચેલા 'પંચલિંગી પ્રકરણ પર ટીકા, ચર્ચરીક સ્તોત્ર, સંઘપટાપર મોટી ટીકા, અને સામાચારીપત્ર નામના ગ્રંથો રચ્યા છે. જિનપ્રભસૂરિજીએ રચેલા તીર્થકલ્પમાં કહ્યું છે કે, જિનપતિસૂરિજીએ વિક્રમ સંવત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org