________________
જૈન ઈતિહાસ ધર્મદાસગણિજીએ રચેલી ઉપદેશમાળા પર મનોહર ટીકા રચેલી છે, તેમ શ્રી દેવસૂરિજી મહારાજે રચેલા સ્યાદ્વાદ રત્નાકર ઉપર અત્યંત ગહન અને વિદ્વાનોને ચમત્કાર ઉપજાવનારી ન્યાયથી ભરપૂર રત્નાકર અવતારિકા નામની ટીકા રચેલી છે. આ શ્રી રત્નપ્રભસૂરિજીનું જ્ઞાન અપાર હતું, એમ તેમની તે ટીકા ખુલ્લી રીતે સૂચવી આપે છે.
૧૩૪
પદ્મદેવસૂરિ (વિક્રમ સંવત ૧૨૪૦ થી ૧૨૯૨)
આ શ્રી પદ્મદેવસૂરિજી મહારાજ વિક્રમ- સંવત ૧૨૪૦ થી ૧૨૯૨ સુધીમાં વિદ્યમાન હતા; અને તે માનતુંગસૂરિજીના શિષ્ય હતા. તેમનું વૃત્તાંત એવું છે કે, મારવાડ દેશમાં આવેલા પાલી નામના નગરમાં એક સીદ નામે જૈનધર્મી ધનાઢ્ય પોરવાડ જ્ઞાતિનો શ્રાવક વસતો હતો, તેને વીરદેવી નામે સ્ત્રી હતી; અને તેઓને પૂર્ણદેવ નામે પુત્ર હતો. તે પૂર્ણદેવને વાડ્લવી નામે સ્ત્રી હતી. તે વલૢવીને જૈન ધર્મ પર ઘણી જ પ્રીતિ હતી; તેથી તેણીએ વિજયસિંહસૂરિજી પાસે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો; તથા ઉપધાન વહ્યાં હતાં. આ બંને સ્રીભરતારને આઠ પુત્રો હતા. તેઓમાં પહેલાનું નામ બ્રહ્મદેવ અને તેની સ્રીનું નામ પોહિની હતું. તે બ્રહ્મદેવે ચંદ્રાવતી નગરીમાં ઘણું દ્રવ્ય ખર્ચીને એક સુંદર જૈન મંદિર બંધાવ્યું હતું. તથા તેની સ્ત્રી પોહિનીએ પણ કેટલુંક દ્રવ્ય ખરચીને જૈન શાસ્ત્રો લખાવ્યાં હતાં. હવે તેઓમાંના ત્રીજા પુત્રનું નામ બહુદેવ હતું, અને તેણે વૈરાગ્યથી દીક્ષા લીધી હતી; તથા પોતાનું સર્વ દ્રવ્ય તેણે જૈન પુસ્તકો લખાવવામાં ખરચ્યું હતું; અને દીક્ષા લીધા બાદ તેમનું પદ્મદેવસૂરિ નામ હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org