________________
૧૪૪
જૈન ઈતિહાસ
હું કરીશ; પછી ગુરુમહારાજે પણ તે સોમદેવ મુનિરાજને યોગ્ય જાણી ત્યાં મહોત્સવપૂર્વક આચાર્ય પદવી આપીને તેમનું હેમચંદ્રાચાર્ય નામ પાડ્યું.
હેમચંદ્રસૂરિજી મહારાજા અને સિદ્ધરાજ જયસિંહ
એક વખતે આ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ તથા સિદ્ધરાજનો મેળાપ થયો; તથા વાતચીત થવાથી સિદ્ધરાજને હેમચંદ્રસૂરિજી પર ઘણી પ્રીતિ થઈ. તેથી તેણે હેમચંદ્રસૂરિજીને કહ્યું કે, આપે હંમેશાં મારી સભામાં આવી મને ધર્મોપદેશ કરવો. તેથી હેમચંદ્રસૂરિજી પણ હંમેશાં રાજાની સભામાં પધારીને તેમને ધર્મનો ઉપદેશ દેવા લાગ્યા. સિદ્ધરાજે તેમનો ધર્મોપદેશ સાંભળીને શિકાર કરવાનો ત્યાગ કર્યો, તથા દર વર્ષે ધર્મકાર્ય માટે એક ક્રોડ સોનામહોરો તે ખર્ચવા લાગ્યા. ત્યારબાદ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે સંસ્કૃત ભાષાનું એક અત્યંત શ્રેષ્ઠ વ્યાકરણ બનાવ્યું, તે જોઈ સિદ્ધરાજે ખુશ થઈ, તે પુસ્તકને હાથીની અંબાડી પર પધરાવી તેનો મોટો ઉત્સવ કર્યો.
સિદ્ધરાજ અને કુમારપાળ
કુમારપાળ સિદ્ધરાજનો પિત્રાઈ થતો હતો, અને તે મહાગુણવાન માણસ હતો; અને વારંવાર તે હેમચંદ્રસૂરિજી મહારાજ પાસે આવી તેમનો ઉપદેશ સાંભળતો હતો. હવે સિદ્ધરાજને પુત્ર નહોતો, તેથી તે વારંવાર ચિંતાતુર રહેતો હતો. એક વખતે તેણે હેમચંદ્રસૂરિજી મહારાજ પાસે આવીને પૂછ્યું કે, હે મુનીન્દ્ર ! મને પુત્ર થશે કે નહીં ? તે આપ જેવું હોય તેવું મને કહો. તેજ વખતે હેમચંદ્રસૂરિજી મહારાજે અંબાદેવીનું ધ્યાન ધર્યું; ત્યારે તેણીએ કહ્યું કે, તેને પુત્ર થશે
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org