________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
જ્ઞાનસાર શબ્દનો તાત્ત્વિક અર્થ આ છે : “જે જગતના તત્ત્વને જાણે તે મુનિ.' મુનિનાં અનંત સ્વરૂપોમાંથી એક સ્વરૂપને અહીં એવંભૂત-નયષ્ટિથી જોવામાં આવ્યું છે. જગતુ-તત્ત્વને જાણવાના સ્વભાવ-સ્વરૂપે મુનિને અહીં જોવામાં આવ્યા છે. અર્થાત્ જગતુ-તત્ત્વનું પરિજ્ઞાન, મુનિસ્વરૂપનું માધ્યમ બન્યું.
જગત જે સ્વરૂપ છે, તે સ્વરૂપે જ જગતને જાણવું તે જ મુનિપણું છે... અને તે સભ્યત્ત્વ છે, કારણ કે યથાર્થ જગતસ્વરૂપનું જ્ઞાન એ સમકિત છે.
જગતું-તત્ત્વનું જ્ઞાન = સમ્યક્ત. સમ્યક્ત = મુનિપણું. જગતું-તત્ત્વનું જ્ઞાન = મુનિપણું.
मुणी मोणं समायाए धुणे कम्मसरीरगं। पंतं लूहं च सेवन्ति वीश समत्तदंसिणो ।।
• उत्तराध्ययने આવા મુનિપણાને ગ્રહણ કરીને મુનિ કાર્મણ શરીરનો નાશ કરે છે, અર્થાતુ આઠ કર્મોનો ધ્વંસ કરે છે. જ્યારે જગતુ-તત્ત્વના જ્ઞાનરૂપ મુનિમણું આવે છે, ત્યારે તે સમ્યત્ત્વદર્શી વીર પુરુષો લૂખું સૂકું ભોજન કરે છે, કારણ કે તેમને ઇષ્ટ, મિષ્ટ અને પુષ્ટ ભજન પર કોઈ મમત્વ હોતું નથી.
જગતુ-તત્ત્વનું જ્ઞાન, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નન્યદૃષ્ટિથી, દ્રવ્યગુણ અને પર્યાયની શૈલીથી, નિમિત્ત-ઉપાદનની પદ્ધતિથી તથા ઉત્સર્ગ-અપવાદના નિયમોથી હોવું જોઈએ.
आत्माऽऽत्मन्येव यच्छुद्धं जानात्यात्मानमात्मना।
सेयं रत्नत्रये ज्ञप्तिरुच्याचारैकता मुनेः ।।२।।९८ ।। અર્થ : આત્મા આત્માને વિષે કમરહિત આત્માને જે જાણે છે, તે આ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રનમાં, શ્રદ્ધા અને આચારની અભેદ પરિણતિ મુનિને હોય છે.
વિવેચન : આત્મસુખની સ્વાભાવિક સંવેદના માટે જ્ઞાન, શ્રદ્ધા અને આચારની અભેદ પરિણતિ થવી જોઈએ; એ અભેદ પરિણતિનું સ્વરૂપ અને ઉપાય, બંને અહીં બતાવાયા છે.
૭. જુઓ પરિશિષ્ટ.
For Private And Personal Use Only