________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ૫
મુનિરાજ! આતમદેવની તમારે પૂજા કરવાની છે. સ્નાન પણ કરવાનું છે ને લલાટે તિલક પણ કરવાનું છે. પુષ્યની માળા એ દેવના ગળે આરોપવાની છે અને ધૂપદીપ પણ કરવાના છે.
કોઈ પણ બાહ્ય દ્રવ્યની અપેક્ષા નહીં, કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિ નહીં! આ તો છે માનસિક ભૂમિકાની પૂજા. આ પૂજા કરવાની યોગ્યતા મુખ્યતયા સાધુ પુરુષોની છે; પરંતુ ગૃહસ્થો ન કરી શકે એમ નથી. ગૃહસ્થો પણ કરી શકે. જોઈએ તે સાધનાની-આરાધનાની દૃષ્ટિવાળા.
ક્યારેક તો કરી જોજો આ ભાવપૂજા.... અપૂર્વ આહ્વાદ અનુભવશો.
( ૨૯)
For Private And Personal Use Only