________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૩૬
www.kobatirth.org
શાનસાર
કેવળજ્ઞાનીને ગમનાગમન, નિમેષ-ઉન્મેષાદિ કાયયોગ હોય છે, દેશનાદિ વચનયોગ હોય છે. મન:પર્યાયજ્ઞાની અને અનુત્તરદેવલોકવાસી દ્વારા મનથી પુછાયેલા પ્રશ્નોના જવાબ આપવારૂપ મનોયોગ હોય છે.
આ સયોગી-કેવળી અવસ્થાનો જઘન્ય કાળ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાળ દેશોનપૂર્વકોટિ વર્ષ હોય છે. જ્યારે એક અન્તર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે તેઓ ‘યોગનિરોધ' કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગનિરોધ કર્યા પછી સૂક્ષ્મ ક્રિયા-અનિવૃત્તિ નામનું શુક્લધ્યાન ધ્યાવતા શૈલેશીમાં પ્રવેશ કરે છે.
૧૪. સોનીવેવલી-મુળસ્થાન :
શૈલેશીકરણનો કાળ, પાંચ હ્રસ્વ સ્વરના ઉચ્ચારણકાળ જેટલો હોય છે અને એ જ અયોગી-કેવળી ગુણસ્થાનકનો કાળ છે.
શૈલેશીકરણના ચરમ સમય પછી ભગવંત ઊર્ધ્વ ગતિ પ્રાપ્ત કરે છે; અર્થાત્ ઋજુ શ્રેણિએ એક સમયમાં જ લોકાન્તે જાય છે.
આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરવાનો આ ગુણસ્થાનકનો યથાવસ્થિત વિકાસક્રમ છે. અનંત આત્માઓ આ વિકાસક્રમે પૂર્ણતા પામ્યા છે અને જે જીવો પામશે તે પણ આ વિકાસક્રમે જ પામશે.
૧૦
૬૧
ચતુર્વિધ સદનુષ્ઠાન
સમ્યજ્ઞાન-દર્શન અને ચારિત્રગુણોની વૃદ્ધિ જે ક્રિયા દ્વારા થાય, તેને સદનુષ્ઠાન કહેવામાં આવે છે. સન્ક્રિયા કહો કે સદનુષ્ઠાન કહો, બંને સમાન છે.
For Private And Personal Use Only
આ સદનુષ્ઠાનના ચાર પ્રકાર ‘શ્રી ષોડશ' ગ્રંથમાં શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજીએ બતાવ્યા છે. તેમ જ ‘શ્રી યોગવિશિગ’ ગ્રંથની ટીકામાં પૂજ્ય ઉપાધ્યાયજીએ પણ ચાર અનુષ્ઠાનોનું વિશદ વર્ણન કર્યું છે.
૬૧. ૯મું ક્રિયા અષ્ટક, શ્લોક ૮.