Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 520
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૭ ઉપસર્ગ-પરિસહ (૨) મારવું, લૂંટવું, હેરાન કરવું વગેરે પ્રતિકૂળ ઉપસર્ગ. શાસ્ત્રીય ભાષામાં અનુકૂળ ઉપસર્ગને અનુલોમ ઉપસર્ગ” કહેવાય અને પ્રતિકૂળ ઉપસર્ગને “પડિલોમ' ઉપસર્ગ કહેવાય. જેને અંતરંગ શત્રઓ કામ-ક્રોધ-લોભાદિ ઉપર વિજય મેળવવાની સાધના કરવી હોય તેને આ ઉપસર્ગ સમતાભાવે સહેવા જોઈએ. ભગવાન મહાવીર આવા ઉપસર્ગ સહીને જ વીતરાગ-સર્વજ્ઞ બન્યા હતા. પરિષહ : મોક્ષમાર્ગમાં સ્થિર થવા અને કર્મનિર્જરા માટે સમ્યક્સહન કરવું, તે પરિષહ કહેવાય. પરંતુ આ પરિષહ જીવનની સ્વાભાવિક પરિસ્થિતિઓમાંથી ઉદભવતાં કષ્ટ હોય છે. પરિષદોમાં કોઈ દેવ, મનુષ્ય કે તિર્યંચના અનુકૂળપ્રતિકૂળ હુમલા નથી હોતા. પરિષહોનું ઉદ્ભવસ્થાન મનુષ્યનું પોતાનું મન હોય છે. બાહ્ય નિમિત્તોને પામીને મનમાં ઊઠત ક્ષોભ છે. આ પરિષહ ૨૨ પ્રકારના છે. “નવતત્ત્વપ્રકરણ” વગેરે ગ્રંથોમાં તેનું સ્પષ્ટ વર્ણન મળે છે. ૧. સુધા : ભૂખ લાગવી. ૨. પિપાસા : તરસ લાગવી. ૩. શીત : ઠંડી લાગવી. ૪. ઉષ્ણ : ગરમી લાગવી. ૫. દંશ : ડાંસ વગેરેની પીડા થવી. ડ, અચલ : જીર્ણ વસ્ત્ર પહેરવાં. ૭. અરતિ : સંયમમાં અરુચિ. ૮. સ્ત્રી : સ્ત્રીને જોઈ વિકાર. ૯. ચર્યા : ઉગ્રવિહાર. ૧૦. નૈધિકી : એકાત્ત સ્થાનમાં રહેવું. ૧૧. શય્યા : ઊંચી-નીચી, ખરબચડી જમીન ઉપર રહેવું. ૧૨. આક્રોશ : બીજાઓનો ગુસ્સો, તિરસ્કાર થવો. ૧૩. વધ : પ્રહાર થવો. ૧૪. યાચના : ભિક્ષા માંગવી. ૧૫. અલાભ : જોઈતી વસ્તુ ન મળે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553