________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७४
જ્ઞાનસાર
શા
પ
થાર નિક્ષેપ કોઈ પણ શબ્દનું અર્થનિરૂપણ કરવું હોય તે “નિક્ષેપ' પૂર્વક કરાય તો જ સ્પષ્ટ રીતે સમજાય. “નિક્ષેપ નિક્ષેપ?' નિરૂપણ કરવું તે નિક્ષેપ કહેવાય. તે નિલેપ જઘન્યથી ચાર પ્રકારે છે અને ઉત્કૃષ્ટથી અનેક પ્રકારે છે. અહીં આપણે ચાર પ્રકારના નિક્ષેપનું વિવેચન કરીશું :
૧. નામ, ૨. સ્થાપના, ૩. દ્રવ્ય, ૪. ભાવ. નામ-નિક્ષેપ :
यद् वस्तुनोऽभिधानंस्थितमन्यार्थे तदर्थनिरपेक्षम्।
पर्यायानभिधेयं च नाम यादच्छिकं च तथा ।। ૧. યથાર્થ રીતે એક નામ અન્યત્ર પ્રસિદ્ધ હોય અને તે નામનો આરોપ અન્યત્ર કરવામાં આવે. દા.ત. ઈન્દ્ર. આ નામ દેવોના અધિપતિ તરીકે પ્રસિદ્ધ છે, તે નામ ગોવાળિયાના છોકરાનું પાડવામાં આવે.
૨. “ઇન્દ્ર' નામનો જે પરમ ઐશ્વર્યવાળ અર્થ, તે ગોવાળના છોકરામાં ન ઘટે.
૩. ઇન્દ્ર' શબ્દના જે પર્યાયો “શ', “પુરન્દર', “શચિપતિ' વગેરે, તે પર્યાયો ગોવાળના પુત્ર “ઈન્દ્ર' માટે ન ઘટે.
યોવિક પ્રકારમાં એવાં નામ આવે છે કે જેનો વ્યુત્પત્તિ અર્થ ન ઘટે. તેમાં તો સ્વેચ્છાથી જ નામ નિશ્ચિત કરવામાં આવે.
આ નામો જીવનમાં અને અજીવનાં હોઈ શકે. સ્થાપના-નિક્ષેપ :
“यत्तु तदर्थवियुक्तं तदभिप्रायेण यच्च तत्करणि ।
लेप्यादिकर्म तत्स्थापनेति क्रियतेऽल्पकालं च ।। ભાવ-ઇન્દ્ર વગેરેના અર્થ રહિત (પરંતુ અર્થના અભિપ્રાયથી) સાકાર કે
૧૦૫. ૨૪મું શાસ્ત્ર અષ્ટક, શ્લોક ૪, ૧૦૬. અનુયોગદ્વાર સૂત્ર ૧૦૭. અનુયોગદ્વાર સૂત્ર
For Private And Personal Use Only