Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 504
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૧ જિનકલ્પ-સ્થવિરકલ્પ 'जइ किंचि पमाएणं न सुठ्ठ भे वट्टियं मइ पुब्बिं । तं भे खामेमि अहं निस्सल्लो निक्कसाओ अ ।।' નિશલ્ય અને નિષ્કાય બની હું, પૂર્વે પ્રમાદથી જે કંઈ તમારા પ્રત્યે દુષ્ટ કર્યું હોય તેની ક્ષમા માગું છું.” અન્ય સાધુઓ આનંદાશ્રુ વહાવતા ભૂમિ પર મસ્તક લગાવી ક્ષમાપના કરે. - સાધુની દશ પ્રકારની સામાચારીમાંથી જિનકલ્પીને (૧) આવકિી , (૨) નૈષધિકી, (૩) મિથ્થાકાર, (૪) આપૃચ્છા, અને (૫) ગૃહસ્થવિષયક ઉપસંપર્-આ પાંચ સામાચારી જ હોય. જિનકલ્પ સ્વીકારનાર સાધુને નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન તો અવશ્ય જોઈએ. ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન દશપૂર્વ. પહેલું સંઘયણ (વજઋષભનારાચ) જોઈએ. છે ઉપસર્ગો દીનતા વિના સહન કરે. જો રોગ-આતંક પેદા થાય તો નિયમા સહન કરે. ઔષાધાદિ ચિકિત્સા ન કરાવે. જ લોચ, આતાપના, તપશ્ચર્યા વગેરેની વેદના સહન કરે. જિનકલ્પી એકલા જ રહે-વિચરે. અનાપાત-અસંલોક' સ્થડિલ ભૂમિ પર મલોત્સર્ગ કરે. જલથી શુદ્ધિ ન કરે. જલશુદ્ધિની જરૂર જ ન પડે. મળથી બાહ્ય ભાગ લેપાય જ નહિ. જે સ્થાનમાં રહે તેમાં ઉંદર વગેરેનાં દર હોય તો બંધ ન કરે. વસતિસ્થાનને ખાતાં પશુઓને ન રોકે, વારનાં કમાડ બંધ ન કરે, સાંકળ ન લગાવે. સ્થાન (ઉપાશ્રયાદિ) નો માલિક જો કોઈ શરત કરીને ઊતરવા માટે સ્થાન આપતો હોય તો તેવા સ્થાનમાં ન રહે. કોઈને સૂક્ષ્મ પણ અપ્રીતિ થાય તેવા સ્થાનનો ત્યાગ કરે. છે જે સ્થાનમાં બલિ ચઢાવાતો હોય, દીપક સળગાવવામાં આવતો હોય, અંગાર-જ્વાલા વગેરેનો પ્રકાશ પડતો હોય અથવા સ્થાનનો માલિક કંઈક કામ ભળાવતો હોય, તેવા સ્થાનમાં જિનકલ્પી ન રહે. છે ત્રીજી પોરસીમાં ભિક્ષાચર્યા કરે, અભિગ્રહ ધારણ કરે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553