________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૧
જિનકલ્પ-સ્થવિરકલ્પ
'जइ किंचि पमाएणं न सुठ्ठ भे वट्टियं मइ पुब्बिं ।
तं भे खामेमि अहं निस्सल्लो निक्कसाओ अ ।।' નિશલ્ય અને નિષ્કાય બની હું, પૂર્વે પ્રમાદથી જે કંઈ તમારા પ્રત્યે દુષ્ટ કર્યું હોય તેની ક્ષમા માગું છું.”
અન્ય સાધુઓ આનંદાશ્રુ વહાવતા ભૂમિ પર મસ્તક લગાવી ક્ષમાપના કરે. - સાધુની દશ પ્રકારની સામાચારીમાંથી જિનકલ્પીને (૧) આવકિી , (૨) નૈષધિકી, (૩) મિથ્થાકાર, (૪) આપૃચ્છા, અને (૫) ગૃહસ્થવિષયક ઉપસંપર્-આ પાંચ સામાચારી જ હોય. જિનકલ્પ સ્વીકારનાર સાધુને નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન તો અવશ્ય જોઈએ. ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન દશપૂર્વ. પહેલું સંઘયણ (વજઋષભનારાચ) જોઈએ. છે ઉપસર્ગો દીનતા વિના સહન કરે.
જો રોગ-આતંક પેદા થાય તો નિયમા સહન કરે. ઔષાધાદિ ચિકિત્સા ન કરાવે. જ લોચ, આતાપના, તપશ્ચર્યા વગેરેની વેદના સહન કરે. જિનકલ્પી એકલા જ રહે-વિચરે.
અનાપાત-અસંલોક' સ્થડિલ ભૂમિ પર મલોત્સર્ગ કરે. જલથી શુદ્ધિ ન કરે. જલશુદ્ધિની જરૂર જ ન પડે. મળથી બાહ્ય ભાગ લેપાય જ નહિ. જે સ્થાનમાં રહે તેમાં ઉંદર વગેરેનાં દર હોય તો બંધ ન કરે. વસતિસ્થાનને ખાતાં પશુઓને ન રોકે, વારનાં કમાડ બંધ ન કરે, સાંકળ ન લગાવે. સ્થાન (ઉપાશ્રયાદિ) નો માલિક જો કોઈ શરત કરીને ઊતરવા માટે સ્થાન આપતો હોય તો તેવા સ્થાનમાં ન રહે. કોઈને સૂક્ષ્મ પણ અપ્રીતિ થાય તેવા સ્થાનનો ત્યાગ કરે. છે જે સ્થાનમાં બલિ ચઢાવાતો હોય, દીપક સળગાવવામાં આવતો હોય,
અંગાર-જ્વાલા વગેરેનો પ્રકાશ પડતો હોય અથવા સ્થાનનો માલિક કંઈક કામ ભળાવતો હોય, તેવા સ્થાનમાં જિનકલ્પી ન રહે. છે ત્રીજી પોરસીમાં ભિક્ષાચર્યા કરે, અભિગ્રહ ધારણ કરે.
For Private And Personal Use Only