________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫o
શાનસાર
બળભાવના : મનોબળથી સ્નેહજનિત રાગ અને ગુણબહુમાનજનિત રાગ બંને ત્યજી
ધૃતિબળથી આત્માને સમ્યભાવિત કરે.
આ રીતે મહાન સાત્ત્વિક ધૈર્યસંપન્ન સુયરહિત, નિષ્પકંપિત બની પરિષહ-ઉપસર્ગને જીતી તે સ્વપ્રતિજ્ઞાને પૂર્ણ કરે છે. સર્વ સત્વે પ્રતિષ્ઠતસર્વ સિદ્ધિસત્વથી થાય છે.
આ રીતે પાંચ ભાવનાથી આત્માને ભાવિત કરી, જિનકલ્પિક સદૃશ બની ગચ્છમાં જ રહેતો દિવિધ પરિકર્મ કરે. (૧) આહારપરિકર્મ (૨) ઉપધિપરિકર્મ.
સાત પિંડેષણામાંથી પહેલી બે સિવાયની બાકીની પાંચ પિઝેષણામાં ભિક્ષા ગ્રહણ કરે. તેમાં પણ વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ કરે. અલેપકૃત આહાર ગ્રહણ કરે. અન્નપ્રાન્ત અને રુક્ષ આહાર ગ્રહણ કરે.
ઉપધિપરિકર્મમાં વસ્ત્ર અને પાત્રની ચાર પ્રતિમામાંથી પહેલી બે ત્યજી દે, અંતિમ બે ગ્રહણ કરે.
“ઉત્કટુક આસનનો અભ્યાસ કરે, કારણ કે જિનકલ્પમાં “પગ્રહિક ઉપધિ રાખવામાં આવતી નથી, તેથી બેસવા માટેનું આસન હોતું નથી અને સાધુ આસન બિછાવ્યા વિના સીધો ભૂમિ પરિભોગ કરી ન શકે, તેથી ઉત્કર્ક (ઊભડક) આસને જ જિનકલ્પિક રહે. માટે એનો અભ્યાસ પૂર્વે કરી લેવો પડે. જિનકલ્પ-સ્વીકાર :
પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ જોઈ, સંઘને ભેગો કરી, (જો ત્યાં સંઘ ન હોય તો પોતાના સ્વગણના સાધુઓને ભેગાં કરી) ક્ષમાપના કરે. પરમાત્મા જિનેશ્વરદેવના સાંનિધ્યમાં અથવા તીર્થંકર ન હોય તો ગણધરના સાંનિધ્યમાં ક્ષમાપન કરે.
૮૭. સાત પિંડેષ : 'असंसठ्ठा संसट्टा उद्धडा अप्पलेवा उपाहिआ पग्गहिया उज्झियधम्मेति'
- માથારાં IRI>, ૨ શ્રત. ૨૫
For Private And Personal Use Only