________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ર
જાનુસાર કે ભિક્ષા અપકૃત લે : વાલ, ચણા... વગેરે. છે જે ક્ષેત્રમાં (ગામમાં) રહે, તેના છ વિભાગ કરે, પ્રતિદિન એક એક વિભાગમાં ભિક્ષા માટે જાય તેથી આધાકર્મ વગેરે દોષો ન લાગે. એક વસતિમાં વધુમાં વધુ સાત જિનકલ્પી રહે, પરંતુ પરસ્પર સંભાષણ ન કરે, એકબીજાની ભિક્ષા માટેની શેરીનો ત્યાગ કરે. જિનકલ્પ સ્વીકારનારનો જન્મ કર્મભૂમિમાં હોવો જોઈએ. દેવાદિ દ્વારા
સંહરણ થતાં અકર્મભૂમિમાં પણ હોય. જ અવસર્પિણીમાં ત્રીજા-ચોથા આરામાં જન્મેલો હોય. ક સામાયિક-છેદોપસ્થાપનીય ચારિત્રમાં રહેલો મુનિ જિનકલ્પ સ્વીકારી શકે. આ મહાવિદેહ ક્ષેત્રમાં સામાયિક-ચારિત્રમાં રહેલો સ્વીકારે.
પરમાત્મા ધર્મતીર્થની સ્થાપના કરે, પછી જ જિનકલ્પ સ્વીકારે. જે જિનકલ્પ સ્વીકારતી વખતે ઓછામાં ઓછી ઉંમર ૨૯ વર્ષની હોવી
જોઈએ. ઉત્કૃષ્ટકાળ દેશોન પૂર્વકટી. છે નવો ધૃતાભ્યાસ ન કરે. પૂર્વોપાર્જિત શ્રુતજ્ઞાનનું એકાગ્ર મનથી સ્મરણ
કરે. એ જિનકલ્પ પુરુષ જ સ્વીકારી શકે, અથવા કૃત્રિમ નપુંસકલિંગી પણ
સ્વીકારી શકે. આ જિનકલ્પીનો વેશ જિનકલ્પ સ્વીકારતી વખતે સાધુનો હોય. ભાવ પણ - સાધુના હોય. પાછળથી ચોરાદિ દ્વારા બાહ્યવેશ જાય તો નગ્ન રહે. * જિનકલ્પ સ્વીકારતી વખતે “તેજો, પદ્મ, શુક્લ-ત્રણ શુભ લેશ્યા હોય. પાછળથી છયે લેશ્યાઓ હોઈ શકે. પરંતુ કૃષ્ણ-નીલ-કાપો વેશ્યા અતિ સંક્લિષ્ટ ન હોય અને તેમાં વધુ સમય ન રહે. જિનકલ્પ સ્વીકારતાં પ્રવર્ધમાન ધર્મધ્યાન ન હોય. પાછળથી આર્તધ્યાનરૌદ્રધ્યાન પણ હોઈ શકે, કર્મની વિચિત્રતાથી! પરંતુ શુભ ભાવોની પ્રબળતા હોવાથી આર્ત-રૌદ્ર ધ્યાનના અનુબંધ પ્રાય: નથી પડતા. એક સમયે જિનકલ્પ સ્વીકારનાર વધુમાં વધુ બસોથી નવ સો હોઈ શકે. જિનકલ્પીઓની ઉત્કૃષ્ટ સંખ્યા બે હજારથી નવ હજાર હોઈ શકે. અલ્પકાલીન અભિગ્રહો જિનકલ્પીને ન હોય. જિનકલ્પ' એ જ જિંદગીનો મહાન અભિગ્રહ છે.
For Private And Personal Use Only