Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 501
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४४८ જ્ઞાનસાર આ બંને કલ્પ (આચાર) સાધુપુરુષો માટે છે, ગૃહસ્થો માટે નહીં. બંને કલ્પનું પ્રતિપાદન શ્રી તીર્થંકર પરમાત્માએ કરેલું છે; અર્થાતુ જિનકલ્પનું સાધુજીવન અને સ્થવિરકલ્પનું સાધુજીવન, બંને પ્રકારનાં જીવન પરમાત્મા મહાવીરદેવે બતાવેલાં છે. બંને પ્રકારનાં જીવનથી મોક્ષમાર્ગની આરાધના થઈ શકે છે. બંને જીવન વચ્ચેનું અંતર મુખ્યતયા એક છે. જિનકલ્પનું સાધુજીવન માત્ર ઉત્સર્ગમાર્ગનું અવલંબન લે છે. સ્થવિરકલ્પનું સાધુજીવન ઉત્સર્ગ-માર્ગ અને અપવાદમાર્ગ બંનેનું આલંબન લે છે; અર્થાતુ જિનકલ્પી મુનિ અપવાદ-માર્ગનું અનુસરણ કરતા નથી, સ્થવિરકલ્પી મુનિ અનુસરણ કરે છે. અપવાદ-માર્ગનું અનુસરણ કરનાર મુનિ પણ આરાધક છે, એટલે મોક્ષમાર્ગની આરાધના માટેનાં મુખ્ય રૂપે આ બે જ પ્રકારનાં જીવન છે. પ્રસ્તુતમાં જિનકલ્પનું સ્વરૂપ “શ્રી બૃહત્કલ્પસૂત્ર' ગ્રંથના આધારે આપવામાં આવે છે. જિનકલ્પ-સ્વીકાર પૂર્વે તેયારી ? જિનકલ્પ સ્વીકારવાની ભાવનાવાળો મુનિ પોતાના આત્માને તે રીતે તૈયાર કરે. તૈયારીમાં પાંચ પ્રકારની ભાવનાઓથી આત્માને ભાવિત કરે : ૧. તપોભાવના, ૨. સત્ત્વભાવના, ૩. સૂત્રભાવના, ૪. એકત્વભાવના, ૫. બળભાવના. તપ-ભાવના : ધારેલું તપ જ્યાં સુધી સ્વભાવભૂત ન થઈ જાય ત્યાં સુધી તેનો અભ્યાસ ન છોડે. જ એક-એક તપ ત્યાં સુધી કરે છે તેથી વિહિત અનુષ્ઠાનની હાનિ ન થાય. શુદ્ધાસુક આહાર ન મળે તો છ મહિના સુધી ભૂખ્યો રહે, પરંતુ પ્રેષિત આહાર ન લે. આ રીતે તપથી અલ્પાહારી બને, ઇન્દ્રિયો સ્પર્ધાદિ વિષયોમાંથી નિવર્તે, મધુર આહારમાં નિઃસંગ બને, ઇન્દ્રિયવિજેતા બને. સત્વભાવના : આ ભાવનામાં મુનિ પાંચ પ્રતિમાનું પાલન કરે. શૂન્ય..અવાવર... અંધારિયા ઉપાશ્રયમાં નિદ્રાનો ત્યાગ કરી કાયોત્સર્ગધ્યાનમાં ઊભો રહી, ભયને જીતી નિર્ભય બને. ઉપાશ્રયમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553