________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३८०
જ્ઞાનસાર
હતા. ગજસુકુમાળ મુનિ, બંધક મુનિ વગેરે મુનિવરો અને ચન્દ્રાવતંસક વગેરે રાજાઓને તમે વિચારો...ઉપસર્ગ-પરિસહો એમને મન કોઈ ઉપદ્રવ નહોતા લાગ્યા.
ધ્યેયનો નિર્ણય થઈ જવો જોઈએ. ધનની જેમ પરમ તત્ત્વની કામના જાગી જવી જોઈએ. ધન સિવાય જેમ ધનાર્થીને કોઈ વહાલું ન હોય, તેમ પરમ તત્ત્વ સિવાય બીજું કંઈ વહાલું ન હોય... એ પરમ તત્ત્વને મેળવવા તે વીરતાપૂર્વક તપ કરે. મહિના-મહિનાના ઉપવાસ પણ એને મન સરળ લાગે. કલાકોના કલાકો સુધી ધ્યાન ધરવું એને કષ્ટરૂપ ન લાગે.
સંસારમાં સહુથી વધુ પ્યારું તત્ત્વ જેમ પૈસા છે, તેમ વિવેકીપુરુષોને સહુથી વધુ પ્યારું તત્ત્વ હોય પરમાત્મતત્ત્વ, એ તત્ત્વને પામવા એ જે કંઈ કષ્ટ સહન કરે, તે તપ કહેવાય. એ તપ એને સરળ લાગે, ઉપાદેય લાગે અને પૂર્ણ લગનીથી કરે.
सदुपायप्रवृत्तानामुपेयमधुरत्वतः ।
ज्ञानिनां नित्यमानन्दवृद्धिरेव तपस्विनाम् ||४ । ।२४४ ।।
અર્થ : સારા ઉપાયમાં પ્રવૃત્ત થયેલા જ્ઞાની એવા તપસ્વીઓને મોક્ષરૂપ સાધ્યની મીઠાશથી હમેશાં આનંદની વૃદ્ધિ જ હોય છે.
વિવેચન : જ્યાં મીઠાશ ત્યાં આનંદ!
જ્યાં મીઠું ભોજન ત્યાં આનંદ! જ્યાં મીઠાં શબ્દો ત્યાં આનંદ! જ્યાં મીઠું મિલન ત્યાં આનંદ! મીઠાશમાં જ આનંદ અનુભવાય. પરંતુ પેલા જ્ઞાની તપસ્વીઓને મીઠું ભોજન આનંદ નથી આપતું! મીઠાં શબ્દો સાંભળવામાં એમને આનંદ નહીં અને મીઠાં મિલનોમાં એમને કોઈ ઉત્કંઠા નહીં! તો એમનું જીવન કેવું આનંદહીન, રસહીન અને ઉલ્લાસહીન થશે?
ના રે ના! એમનું જીવન આનંદભરપૂર હોય છે, રસથી છલોછલ હોય છે, ઉલ્લાસથી ધબકતું હોય છે. જાણો છો એ આનંદ તેઓ ક્યાંથી પ્રાપ્ત કરે છે? સાધ્યની મીઠાશમાંથી! એમનું સાધ્ય છે મોક્ષ. એ મોક્ષને, શિવરમણીને મળવાની કલ્પનામાંથી મીઠાશ ઝરે છે! એ મીઠાશ એ તપસ્વીઓને આનંદથી ભરી દેતી હોય છે. એ શિવરમણીને વરવા માટે તપસ્વીઓએ એક સારો ઉપાય પકડ્યો છે તપશ્ચર્યાનો, દેહદમનનો, વૃત્તિઓના શમનનો!
તપસ્વીઓ પાસે જ્ઞાનદ્દષ્ટિ હોય છે ને! તેઓ આ ઉપાયથી તેમના સાધ્યની નિકટતા જોતા હોય છે; જેમ જેમ સાધ્ય નિકટ જુએ તેમ તેમ એમને મીઠાશ
For Private And Personal Use Only