________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથિભેદ
૪૧૯
ગ્રંથિભેદ* ગમે તે રીતે તથાભવ્યત્વના પરિપાકથી જીવાત્મા યથા પ્રવૃત્તિકરણ
દ્વારા આયુષ્ય કર્મ સિવાયનાં જ્ઞાનાવરણીયાદિ સાતેય કમની, પૃથક્વલ્યોપમના સંખ્યાતા ભાગ ન્યૂન એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ કરી દે છે.
જ્યારે કર્મોની આ પ્રમાણે મર્યાદિત કાળસ્થિતિ થઈ જાય છે, ત્યારે જીવની સામે એક અભિન્ન ગ્રંથિ આવે છે. તીવ્ર રાગદ્વેષના પરિણામરૂપ તે ગ્રંથિ હોય છે. તે ગ્રંથિનું સર્જન અનાદિ કર્મપરિણામ દ્વારા થયેલું હોય છે.
અભવ્ય જીવો યથાપ્રવૃત્તિકરણથી જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની દીર્ઘ સ્થિતિનો ક્ષય કરી અનંતવાર આ “ગ્રંથિ'ના દ્વારે આવે છે, પરંતુ ગ્રંથિની ભયંકરતા જોઈ ગ્રંથિને ભેદવાની કલ્પના પણ કરી શકતા નથી. ભેદવાનો પુરુષાર્થ તો દૂર રહ્ય! ત્યાંથી જ તે પાછા વળે છે..પુનઃ સંક્લેશમાં ફસાય છે... સંક્લેશ દ્વારા પુનઃ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે.ભવભ્રમણમાં ઊપડી જાય છે.
ભવ્ય જીવો પણ અનંતવાર આ પ્રમાણે ગ્રંથિપ્રદેશના દ્વારે આવી વિલા મોંઢે પાછા વળે છે. પરંતુ જ્યારે તે “ભવ્ય મહાત્માને “અપૂર્વકરણની પરમ વિશુદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે, જે “અપૂર્વકરણની પરમવિશુદ્ધિને “શ્રી
વનસારોદ્ધાર' ગ્રન્થના ટીકાકારે “નિસિપ્ત ધારા' ની ઉપમા આપી છે! તે તીક્ષ્ણ કુહાડાની ધાર સમાન પરમ વિશુદ્ધિ દ્વારા તે સમુલ્લસિત
૩૨. ૫ મું જ્ઞાનાષ્ટક, શ્લોક ૩. ३३. आयुर्वर्जानि ज्ञानावरणादिकर्माणि सर्वाण्यपि । __ पृथक्पल्योपम-संख्येयभागन्यूनैकसागरोपमकोटीकोटीस्थितिकानि करोति।
- પ્રવનસારોદ્ધાર गुरुतरगिरिसरित्-प्रवाह वाह्यमानोपलघोलनाकल्पेन अध्यवसायविशेषरूपेण अनाभोगनिवर्तितेन यथाप्रवृत्तिकरणेन ।
- प्रवचनसारोद्धारे
For Private And Personal Use Only