________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાનુસાર
૨૨૮
તમે સતત યાદ રાખો કે તમે ચક્રવર્તી છો! ચક્રવર્તીની અદાથી તમે નિર્ભય જીવન જીવો અને ચર્મરત્ન તથા છત્રરત્નને પ્રાણની જેમ સાથે જ રાખો. મોહમ્લેચ્છ પર તમે વિજયી બનશો.
नवब्रह्मसुधाकुण्डनिष्ठाधिष्ठायको मुनिः ।
नागलोकेशवद् भाति क्षमां रक्षन् प्रयत्नतः ।।४।।१५६।। અર્થ : નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપ અમૃતના કુંડની સ્થિતિના સામર્થથી સ્વામી, અને યત્નથી સહિષ્ણુતા રાખતા મુનિ, નાગલોકના સ્વામીની પેઠે શોભે છે. વિવેચન : મુનિશ્વર! તમે શેષનાગ છો, નાગલોકના સ્વામી છો! આશ્ચર્ય ન પામશો. કોરી કલ્પના ન સમજશો. સાચે જ તમે નાગેન્દ્ર છે.
બ્રહ્મચર્યના અમૃતકુંડમાં તમારો વાસ છે. ક્ષમા-પૃથ્વીને તમે ધારણ કરીને રહેલા છો. ક્ષમા-પૃથ્વી તમારે સહારે રહેલી છે! કહો, હવે તમે નાગેન્દ્ર ખરા કે નહીં? અમે તમારી ખુશામત નથી કરતા. અર્થહીન પ્રશંસા કરી તમને રીઝવવાનો પ્રયત્ન નથી કરતા, પરંતુ જે યથાર્થ સ્થિતિ છે, સત્ય હકીકત છે, તે બતાવીએ છીએ.
જુઓ, તમે નવ બ્રહ્મચર્યની વાડોનું પાલન કરી મન-વચન-કાયાથી બ્રહ્મચર્યના અમૃતકુંડમાં મહાલતા નથી? (૧) સ્ત્રી-પશુ-નપુંસક જ્યાં રહેતાં હોય તેવા સ્થાનમાં તમે રહેતા નથી. (૨) સ્ત્રી કથા કરતા નથી. (૩) સ્ત્રીઓ જે સ્થાને બેઠી હોય તે સ્થાને તમે બેસતા પણ નથી.
(૪) ભીંતની બીજી બાજુએ બોલાતાં સ્ત્રી-પુરુષનાં રાગ-વચનો પણ સાંભળતા નથી; તેવા સ્થાનને ત્યજી દો છો.
(૫) સંસારાવસ્થામાં કરેલી કામક્રીડાઓની સ્મૃતિ કરતા નથી. (૯) વિકારને ઉત્તેજનારી વિગઈઓ-ઘી, દૂધ વગેરેનું સેવન કરતા નથી. (૭) અતિ આહાર-ઠાંસીઠાંસીને ભોજન તમે કરતા નથી. (૮) શરીરની વિભૂષા કરતા નથી. (૯) સ્ત્રીઓનાં અંગોપાંગ એકીટશે નીરખતા નથી. બ્રહ્મચર્યના આ અમૃતકુંડમાં તમે કેવો અપૂર્વ આલાદ અનુભવી રહ્યા છો! એ અલ્લાદનું વર્ણન કેવા શબ્દોમાં કરવું? ને એ વર્ણવવાની વસ્તુ પણ
For Private And Personal Use Only