________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નસાર
૩૪૮
અહીં દાનાદિ ક્રિયાઓ હેય નથી બતાવી, પરંતુ એ સમજાવ્યું છે કે એનાથી પુણ્યબંધ થાય છે, કર્મક્ષય નહીં. એટલે કર્મક્ષય જ કરવાનો ઉદ્દેશ હોય તો જ્ઞાનયજ્ઞ કરો. એવી ભૂલ ન કરતા કે પુણ્યબંધની ક્રિયાઓનો ત્યાગ કરી પાપબંધની ક્રિયાઓમાં રચ્યાપચ્યા થઈ જાઓ, ને કર્મક્ષયનું જ લક્ષ્ય ચૂકી જાઓ.
ब्रह्मार्पणमपि ब्रह्मयज्ञान्तर्भावसाधनम्।
ब्रह्माग्नौ कर्मणो युक्तं स्वकृतत्वस्मये हुते ।।६।।२२२ ।। અર્થ બ્રહ્મયજ્ઞમાં અન્તર્ભાવનું સાધન બ્રહ્મને અર્પણ કરવું પણ બ્રહ્મરૂપ અગ્નિમાં કર્મનો, પોતાના કર્તાપણાના અભિમાનનો યોગ કર્યો છતે યુક્ત છે, વિવેચન : ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે :
कांक्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः। क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा ।।
- અધ્યાય ૪, ફો, ૧ર આ મનુષ્યલોકમાં કર્મોની ફળસિદ્ધિને ઈચ્છનારા થઈને જેઓ દેવતાઓને પૂજે છે તેમને કર્મજન્ય ફળસિદ્ધિ જ થાય છે.”
પ્રાકત મનુષ્યો હમેશાં કર્મો કરે છે અને એના ફળની ઇચ્છા રાખનારાઓ દુઃખી થાય છે. આ દુર્દશામાંથી જીવોને મુક્ત કરવા તેમને કહેવામાં આવે કે કર્મના કર્તાપણાનું અભિમાન છોડો, “આ મેં કર્યું છે,’ એવા કર્તાપણાના અહંકારનો બ્રહ્મરૂપ અગ્નિમાં હોમ કરો. હું કંઈ જ કરતો નથી' - આ ભાવના જાગ્રત કરવા માટે આ કર્મક્ષય કરવાનો છે. આ કર્મયજ્ઞ બ્રહ્મયજ્ઞનું સાધન છે. આ કર્તાપણાના અભિમાનને ઓગાળી નાખવા માટે જ “ગીતા'માં
કહ્યું છે :
ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् । ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ।।
- અધ્યાય ૪, ઉો. ર૪ અર્પણ કરવાની ક્રિયા બ્રહ્મ છે, હોમવાની વસ્તુ બ્રહ્મ છે, બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હોમનારે હોમેલું પણ બ્રહ્મ છે, અને બ્રહ્મરૂપ કર્મસમાધિવાળાને પ્રાપ્ત કરવા યોગ્ય સ્થાન પણ બ્રહ્મ છે.”
For Private And Personal Use Only