________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
જ્ઞાન સાથે મુખ્યતયા પાંચ દ્રવ્યો (જડ-ચેતન) આ વિશ્વમાં વિદ્યમાન છે :
ધર્માસ્તિકાય; અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય.
આકાશ-દ્રવ્ય આધાર છે, બાકીનાં ચાર દ્રવ્યો આધેય છે, અર્થાતુ આકાશમાં રહે છે. આકાશમાં કોઈ પણ ભાગ એવો નથી કે જ્યાં ચાર દ્રવ્યો ન રહેતાં હોય. અર્થાતુ પાંચેય દ્રવ્યો સાથે રહે છે. છતાં તેમનું અસ્તિત્વ, તેમનું સ્વરૂપ અને તેમનું કાર્ય સ્વતંત્ર રહે છે. એક દ્રવ્યનું અસ્તિત્વ બીજા દ્રવ્યના અસ્તિત્વમાં વિલીન થઈ જતું નથી. એક દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય કરતું નથી. ભિન્નતાનો આ ચમત્કાર જ્ઞાન વિના દેખાય તેવો નથી.
દરેક દ્રવ્ય પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે; પોતાના સ્વરૂપને નિરાબાધ રાખે છે અને પોતાનું કાર્ય કર્યું જાય છે. ધર્માસ્તિકાય દ્રવ્ય અરૂપી છે. અનાદિ-અનંત કાળ તેનું અસ્તિત્વ છે. તેનું કાર્ય છે જીવને ગતિ કરવામાં સહાય કરવાનું, અર્થાતુ પ્રત્યેક જીવ હાલી ચાલી શકે છે, તેની પાછળ અદૃશ્ય સહાય “ધર્માસ્તિકાય’ નામના અરૂપી વિશ્વવ્યાપી... અને જડ એવા દ્રવ્યની છે! “અધર્માસ્તિકાય? સ્થિતિમાં સહાયતા કરે છે. અર્થાત્ જીવ એક સ્થાન પર સ્થિર બેસી શકે છે, ઊભો રહી શકે છે, શયન કરી શકે છે, તેની પાછળ અરૂપી વિશ્વવ્યાપી અને જડ અધર્માસ્તિકાયની સહાય છે. “આકાશાસ્તિકાય'નું કામ છે અવકાશ-જગા આપવાનું. પુદ્ગલાસ્તિકાયનું કામ તો સુપ્રસિદ્ધ છે! જે કંઈ આપણને આંખોથી દેખાય છે તે બધું જ પુગલમય છે! પાંચેય દ્રવ્યોમાં માત્ર પુગલ જ રૂપી છે..હાનિ, વૃદ્ધિ અને નિરંતર પરિવર્તન એ પુદ્ગલનું સ્વરૂપ છે. જીવાસ્તિકાયનું સ્વરૂપ છે ચેતના. જ્ઞાનાદિ-સ્વપર્યાયમાં રમણતા એનું કાર્ય છે.
પુગલદ્રવ્યમાં આત્મગુણોનો પ્રવેશ થતો નથી. આત્મામાં પુગલ ગુણોનો પ્રવેશ થતો નથી. અર્થાત્ આત્માના જ્ઞાનાદિ ગુણો પુદ્ગલના ગુણો બનતા નથી. પુદગલનો પૂરણ-ગલન સ્વભાવ આત્માનો સ્વભાવ બનતો નથી. એવી રીતે દ્રવ્યના પર્યાયો પણ સ્વધર્મના પરિણામરૂપે ભિન્ન છે. અલબત્ત, એ એકબીજા સાથે એટલા ઓતપ્રોત હોય છે કે તેનો ભેદ કરવો અશક્ય છે. પરંતુ જ્ઞાની પુરુષ શ્રુતજ્ઞાનના આધારે તેનો ભેદ સમજે છે. | ‘સન્મતિતક માં શ્રી સિદ્ધસેન-દિવાકરે કહ્યું છે :
૯. જુઓ પરિશિષ્ટમાં “પંચાસ્તિકાય”
For Private And Personal Use Only