________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
જ્ઞાનસાર હચમચાવી ન શકે. આપણા સંયમને જરાય ડગમગાવી ન શકે. ચાહે કોઈ શરીર પર ખંજરનો પ્રહાર કરી દે, ચાહે કોઈ ગ્યાસતેલ છાંટી સળગાવી દે,
હે કોઈ રાઈફલની ગોળીથી શરીરને વીંધી નાખે.. શરીર-આત્માના ભેદજ્ઞાનની વાસના જો જાગી ગઈ છે, તો જરાય અતિ કે અસંયમ થશે નહિ.
ઝાંઝરિયા મુનિના ગળે તલવાર પડી, ખંધકસૂરિના પાંચસો શિષ્યો પાણીમાં પિલાયા, ગજસુકુમાળ મુનિના માથે ખેરના અંગારા ભરવામાં આવ્યા; અયવંતી સુકુમાલ મુનિના શરીરને શીયાળણીએ ફાડી ખાધું. અને એ સમયે એ મહાત્માઓએ ધર્મધ્યાન તથા શુક્લધ્યાન ધ્યાયાં...મહાન વૈર્ય અને અપ્રમત્તતા ટકાવી સ્વર્ગ-મોક્ષમાં પહોંચી ગયા.... એ બધી ઘટનાઓ પાછળ સફળતાની કોઈ ચાવી હતી તો તે આ ભેદજ્ઞાન.
જીવનમાં નિરંતર ભેદજ્ઞાનનો અભ્યાસ, ચિંતન અને નાના નાના પ્રસંગોમાં તેનો અનુભવ ચાલુ હોય તો જ મરણાંત કષ્ટના પ્રસંગે ભેદજ્ઞાન આપણી રક્ષા કરે. માત્ર વાણીમાં જ ભેદજ્ઞાન રાખવાનું નથી. ચિંતન અને ધ્યાન દ્વારા તેને આત્મસાત્ કરવાનું છે. પછી જીવનના ભિન્ન-ભિન્ન પ્રસંગોમાં શારીરિક-આર્થિક-કૌટુંબિક આપત્તિઓના પ્રસંગે તે ભેદજ્ઞાન દ્વારા આપણી ધૃતિ અને સંયમને તીર્ણ કરી કર્મોના ક્ષયનો પુરુષાર્થ કરવાનો છે. ભેદજ્ઞાનનો આ શાશ્વત્ વિવેક, પ્રત્યેક જીવને પ્રાપ્ત થાઓ!
For Private And Personal Use Only