Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
“અધ્યાત્મ માર્ગને ઇતિહાસ જોઈએ, તેમ જણાય છે કે. સત્યનાં દ્વાર છેક જ ખુલ્લાં રહ્યાં હોય એવા જમાના બહુ ઓછો હેય છે. વધારે જમાના તે એ સત્યની વિડંબના કરી, જનતાનાં મન સત્યથી વિમુખ ક્યના જ આવે છે – આવ્યા હોય છે. દરેક આચાર્યું કે ગુરુ વિષે એમ જ કહેવાને પ્રયત્ન થતો હોય છે કે, તેમને જ સંપૂર્ણ સત્ય હાંસલ થયું છે, અને તેમનામાં શ્રદ્ધા રાખે અને બીજા પ્રત્યેની શ્રદ્ધા તજે, તે જ ઉદ્ધાર થાય એવી અંધશ્રદ્ધાના જે જમાનો આવે છે, તે જ વધુ ખતરનાક હોય છે. કારણ કે, તેનાથી આધ્યાત્મિક માર્ગે પ્રયાણ આદર્યાને ખોટો અભાવ મુગ્ધ લામાં સાથોસાથ ઊભો થતો જાય છે, અને તે પ્રમાણમાં અધ્યાત્મમાગે સાચા પ્રયાણનું દ્વાર ભિડાઈ જાય છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org