Book Title: Gathasahastri
Author(s): Samaysundar, 
Publisher: Zaveri Mulchand Hirachad Bhagat Mumbai

View full book text
Previous | Next

Page 18
________________ प्रस्तावना પીડાકારી રાત્ય તે અસત્ય જાણવું. વિહરમાન જિનની દ્વીપ પરત્વે સંખ્યા કહી છે. જેટલાં આવનાં કારણો છે તેટલાં જ ઉલટાતાં નિર્વાણ સુખ આપે છે. પરમાગુની વ્યાખ્યા કરી છે. જેને અદ્ધ પુકલ પરાવર્તનથી કંઈક ઓછો સંસાર રહે તે શુક્લપક્ષી, બીજા કૃષ્ણુપકી જાણવા. 'પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ અથવા જયાં જિનાદિ કે જિનચૈત્ય હોય તેની સન્મુખ રહી દીક્ષાવિધિ થાય. પૃષ્ઠ ૨૦. હે ગૌતમ! અનાદિ કાળમાં એવા પણુ આચાર્યો થયા છે અને ભવિષ્યમાં થશે જેનું નામ લેતાં પણ પ્રાયશ્ચિત્ત લાગે. ગર્ભમાં તથા જન્મ સમયે અત્યંત કઇ હોય તે દષ્ટાંતપૂર્વક કહ્યું છે. બ્રહ્મચારીને આહાર ચારિત્રરૂપ ભાર વહન કરવા માટે છે જેમ ગાડાની ધરીને દીવેલ છે. ૨૪ ભગવાનના ૨૮૪૮૦૦૦ સાધુ, ૪૪૪૬૦૦૦ સાધ્વી, પપપ૩૪૦૬ શ્રાવક, ૧૨૧૯૯૩૫૦ શ્રાવિકા ૨૦૦૪ યુગપ્રધાન, તેવા ૧૧૧૬૦૦૦ મુનિવરો, તથા ૧૧૧૬૦૨૦ જિનભક્ત પો વાળા ચતુર્વિધ સંધનું પ્રભાતે સ્મરણ કરવું. માગ્યું મળતું હોય તો શ્રી ઋષભદેવ જેવું પાત્ર, નિર્દોષ શેરડીના રસ જેવું દાન, તથા શ્રેયાંસ જેવો ભાવ થાઓ. દશ પ્રકારનું વેચાવ કહ્યું છે. સૂર્યોદય પહેલાં મુહપત્તિ, ચોલપટ્ટો, કલ્પત્રિક, બે નિસજજા, રોહરણ, સંથાર તથા ઉત્તરપટ એ દશ પડિલેહવાં. પૃ૪ ૨૧. પડિલેહણા સાવધાનતાથી ન કરે તો છે કાયનો વિશધક જાણવો. ત્રણ ગુણિ અકુશલની નિવૃત્તિ તથા કુશલની પ્રવૃત્તિરૂપ છે. લઠ્ઠી, વિલી, દંડ, વિદંડ તથા નાલીનાં પ્રમાણું તથા કાર્યો કહ્યાં છે. ઉપશમણિ એક ભવમાં બે વખત તથા સમગ્ર ભવોમાં ચાર વખત પામે; ક્ષપકશ્રેણિ એક જ વખત પામે. વાસુદેવનો પુત્ર હોય તો પણ વૃદ્ધને દીક્ષા ન દેવી, કારણ કે તે ઉચ્ચાસન ઇચ્છ, વિનય ન કરે, ને ગર્વ ધરે, કેવલી, મન:પર્ચવજ્ઞાની, ચૌદપૂર્વી, દરપૂર્વ તથા કંઈક ન્યૂન દશપૂર્વને નિયમથી સમ્યકત્વ હોય; બીજાને હોય કે ન હોય; અવધિજ્ઞાનીને મતિજ્ઞાનીને વિયર્યાસથી મિથ્યાત્વ હોય. બે પ્રકારના પ્લાનપણામાં, નિમંત્રણ, દ્રવ્યની દુર્લભતા, અશિવ, દુર્ભિક્ષ, રાજદ્વેષ, ને ભયને કારણે શતરંપડ પણ લેવો. પૃષ્ઠ ૨૨. રાત્રે પ્રથમ પ્રહર સર્વ જાગે, મુનિવૃષભો બન્ને પ્રહર ાગે, ત્રીજે પ્રહર ગુમ જાગે, ચોથે પ્રહર સર્વ જાગે, ગુરુ સુવે. આલોચનાને પરિણામવાળો ગુરુ સમીપ જતાં વચ્ચે જ કાળ કરે તો ચ આરાધક થાય. લૌકિક નાટકમાં ગાનાર તથા સાજિદની ઉત્તમ, મધ્યમ તથા લધુ મંડળી કહી છે. બાર ચક્રવતી કયારે થયા તે તથા તેમની ગતિ કહી, નવનારદનો નામોલ્લેખ કરી, ગુરુપ્રશંસા કરી છે. સાધુ નવ પ્રકારે શુદ્ધ અહિંસા પાળે. જૈન, મીમાંસક, બૌદ્ધ, તૈયાયિક, વૈશેષિક તથા સાંખ્ય એ છ દર્શન કહી, ૧૦ પચ્ચખાણ, ૪ અભિગ્રહ, ૭ શિક્ષા, ૧૨ પ્રકારે ત૫, ૧૧ ડિમા, ૧૨ ભાવના, ૧૪ ક્ષેત્ર, ૪ પ્રકારે ધર્મ તથા ૧૭ ભેદે પૂજા એમ ગૃહસ્થીની એકાણું બાબત કહી છે. રસદાકાળ સંઘની ભક્તિ તથા તીર્થની ઉન્નતિ કરનાર અવિરતિ સભ્યન્ દૃષ્ટિ આવક પણ પ્રભાવક હોય; ગુણ, સદાચારી, બારવ્રતધારી તે મધ્યમ; ને મદ્ય માંસ ને સ્થળ હિંસા ને ત્યજનાર નવકાર માત્રધારક તે જધન્ય ભાવક હોય. પૃષ્ઠ ૨૩. ઉત્કૃષ્ટપણે શ્રાવક સચિત્તાહાર ત્યજે એકાસણું કરે ને બ્રહ્મચારી હોય (રોજ એકાસણું ન કરી શકે તો દિવસના આઠમાં ભાગમાં જમે). જિનભવન, જિનબિબ, જિનભક્ત રાખ્યું, જેનમંત્રી તથા અતિશયવાળા આચાર્યું એ પાંચ જિનમતમાં ઉદ્યોતકારક કહ્યાં છે. ૧૭ પ્રકારનાં મરણ તથા વિવિધ કર્મથી વિવિધ પરીસહો થાય તે કહી, સિદાવગાહના વર્ણવી છે. વ્યવહારરાશિમાંથી જેટલા જીવો સિદ્ધ થાય તેટલા અનાદિ વનસ્પતિમાંથી વ્યવહારરાશિમાં આવે. અભત્ર્ય, સિદ્ધ, ભવ્ય તથા જાતિભવ્ય ચારે અનંત છે, છતાં ઉત્તરોત્તર અનંતગણું છે. નિકૂવો કહી, મોતી હાથીના ગંડસ્થળ, શંખ, મત્સ્ય, વાંસ, વરાહની દાઢ, સર્ષશિર, મેધ તથા છીપ એ આઠ સ્થળે થાય તે કહ્યું છે. સંજમઅર્થ એ સારણ, વારણ, પડિચોયણ વિનાના અને ત્યજવો. નારકીને સાતા, ઉ૫પાત, દેવકર્મ, અધ્યવસાય તથા કનુભાવથી હોય. તેનો ઉકૃષ્ટ ઉત્પાત પાંચસો જજન હોય. પૃ૪ ૨૪, ઔષધના યોગે લોટું સુવર્ણપણાને પામે છે, તેમ આત્મકથાનના યોગે આત્મા પરમાત્મત્વ પામે છે. મલોત્સર્ગ કરતાં ધ્યાનમાં રાખવાની બાબતો કહી છે. અભવ્ય ને જાતિભવ્ય સિદ્ધિ પામશે નહિ. ગીતાથ થોડા દોષવાળું ને બહુ ગુણવાળું જે આચરણ કાર્યને અનુલક્ષી કરે તેને સર્વે પ્રમાણભૂત ગણે. રોજનું એક માણું ગણતાં સો વર્ષ જીવનારને છપન મૂડા તથા ચાલીશ સેઈ (માપ) ધાન્ય જોઇયે. તારા, ચંદ્ર, ને સૂર્ય ઉત્તરોત્તર બળવાન છે; સૂર્યબળ હોય તો નડતા ગ્રહો પણ સારો થાય. સુદ એકમે ચેક શુભ હોય જે તે પક્ષ શુભ જાણવો, કૃષ્ણપક્ષમાં ઉલટું સમજવું. યાત્રા, જન્મ, તથા વિવાહમાં ચંદ્રની પ્રત્યેક રાશિની બાર અવસ્થા નામ પ્રમાણે ફળ આપે. પૃષ્ઠ ૨૫. સમ્યકત્વ સમયની કર્મરિથતિમાંથી પલ્યોપમ પૃથકત્વ- ક્ષીણ થતાં દેશવિરતિ, ને સંખ્યાતા સાગરોપમ ક્ષીણ થતાં સર્વવિરતિ ચારિત્ર કર્મના ક્ષયોપશમે હોય. સંથારો શ્રેષ્ઠ મંગલ છે. સંથારો કરનાર એક જ સમયમાં અસંખ્ય લાખો ફોડ ભવોમાં બાંધેલું અશુભ કર્મ હણે છે. ભાવજિનોને પણ સર્વ વંદના કરે, તે પણ ચૈત્યવંદન જિનબળ સામે કરે. જિનબિબના અભાવે સ્થાપના ગુરુની સાક્ષિએ પણું કરે. આ પણ ચિત્યવંદન છે, કારણ કે સ્થાપનામાં પરમેષિની પણ સ્થાપના હોય છે. અથવા ગમે ત્યાં જિનબબ કપ પંડિતો વંદના કરે. સામાન્યત: શ્રત એકલું(અર્થ વિના) પ્રમાણ કે અપ્રમાણુ નથી. આંધળો જેમ પાંગળાને લઈ જાય, તેમ શ્રા અને ધારણ કરે છે અને માર્ગ બતાવે છે. પાંચ થાવરને મોહસંજ્ઞા, બેઇયિ આદિને હેતુસંજ્ઞાદેવના રહી ને ગદ્ધવ છોને કાલિકીસંજ્ઞા હોય. છ સભ્ય ગદ્દષ્ટિ ને શ્રુતજ્ઞાનસંજ્ઞા હોય અને કેવળી મતિના વ્યાપાર વિનાના સંજ્ઞાહિત હોય. પૃ૪ ૨૬. તીર્થંકર ભગવાનનું આગમન સાંભળી ચક્રવતી’ સાડા બાર કોડ ને સાડા આર લાખ સુવર્ણનું પ્રીતિદાન કરે, વાસુદેવ તેટલું જ રૂપાનું કરે, હજારો મંડલિકો લાખોનું કરે ને અન્ય ઇભ્ય શ્રેષ્ટિઓ સ્વશક્તિ ને ભક્તિ અનુસાર કરે. એક જ શબ્દ નિર્દોષ આયંબિલ પિસ્તાળીશ નવકાર સહિંત હોય તો ઉપવાસ બરોબર થાય, નહિ તો બે આયંબિલ ઉપવાસ બરોબર થાય. વર્ષાવાસ આદિમાં શ્રેષ્ઠ દિન શ્રદ્ધાવાળાં શ્રાવક કુલ સ્થાપે, ને તેમાંના એક કુલમાં આચાર્ય, ગ્લાન ને પ્રાણુ અર્થે ગીતાર્યા સિવાય અન્ય સાધુ ન જાય. ચંદ્ર સૂર્ય નક્ષત્રો ને મહાગ્રહોના ચાર-ગતિ વિશેષથી મનુષ્યોને સુખદુઃખ થાય છે. ઉપાશ્રયનું દ્વાર રાત્રે બંધ કરે, કારણ કે નહિ તો વિરોધી, ચોર, શિકારી પ્રાણિ, ભામટા, ગાય, કુતરા, ગાંડા, સર્પ, પક્ષિ, સ્થાનહીન ગૃહસ્થી ધુસી જાય કે અસહ્ય ટાઢ પડે; સર્પ, શિકારી પ્રાણિ કે વિરોધી ધ્રુસી જાય તો ગુરુ પ્રાયશ્ચિત્ત ને બીજાં કારણે ચાર લધુપ્રાયશ્ચિત્ત (ઉપાધિ-ચોર ઘુસે તો લધુ પણું મનુષ્યાપહારિક ઘુસે તો ગુર) કહ્યાં છે. સંયમ વિરાધના ને આત્મ વિરાધના-એમ અણુ વિરાધના બે પ્રકારે હોય, પૃષ્ઠ ૨૭, "Aho Shrut Gyanam

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72