Book Title: Gathasahastri
Author(s): Samaysundar, 
Publisher: Zaveri Mulchand Hirachad Bhagat Mumbai

View full book text
Previous | Next

Page 20
________________ પ્રસ્તાવના સ્વર્ગમાંથી વી જીવ પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિ, ગર્ભજ પર્યાપ્ત સંખ્યાતા જીવસ્થાનકોમાં ઉત્પન્ન થાય તે કહ્યું છે, પછી મહાભારતમાંથી ભવ માંસભક્ષણ, રાત્રિભોજન કંદ ને મૂળાના ભક્ષણનો નિષેધ વર્ણવ્યો છે. પછી માનવી સ્મૃતિ (માનવધર્મસંહિતા ?)માંથી તુમ્બડી, વેંગણ, કલગર, મૂળા તેમજ કાંદા, લસણ, ગાજર, સુરણ, મ, માંસ આદિનો નિષેધ વર્ણવ્યો છે. પદ્મપુરાણમાંથી રાત્રે ભજન તથા જલપાનનો નિષેધ, ને મહાભારતમાંથી મધુપાનનો નિષેધ વર્ણવ્યો છે. પછી અન્નદાનનો મહિમા કહ્યો છે. પૃષ ૩૬. આવતીથી મહાવતી ને તેથી તત્ત્વજ્ઞાની ચઢે છે, તત્ત્વજ્ઞાની જેવું પાત્ર થયું નથી ને થશે નહિ. પછી શત્રુંજય તીર્થનું ઉત્કૃષ્ટ મહાઓ વર્ણવ્યું છે. દહેરમાં આસાતના ન કરવી તે કહી, મનુષ્ય જન્મની દુર્લભતા, દશ દૃષ્ટાંત કહી છે. ભદ્રહાથીનું મૂલ્ય સવા લાખ, મંદ હાથીનું અર્થ, મૃગ હાથીનું ચોથા ભાગનું ને મિશ્ર જાતિના હાથીનું આઠમા ભાગનું કહ્યું છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંદર, તીડ, પોપટ, સ્વરન્ય અને પરસન્ય એ સાત ઈતિઓ કહી છે. ગણીને, તેળીને, ભરીને તથા માપીને એમ ચાર રીતે વિવિધ વસ્તુનું પ્રમાણુ થાય છે. બેઈદ્રિયથી અનુત્તરવિમાનના દેવો સુધી ઉત્તરાર શુદ્ધ જ્ઞાન રણવું–ને સર્વથા શુદ્ધ પૂર્વધરનું જાણવું. શ્રી ઋષભદેવને પ્રથમ ભિક્ષા વર્ષે મળી બાકીના તીર્થકરોને બીજે જ દિવસે મળી, મિથ્યાવ, સાસ્વાદન કે અવિતિ સમ્યકત્વ ગુણસ્થાને જ પરલોકગમન થાય. પ્રત્યેક ગુણસ્થાનનો સમય કહી, દેશ નિર્યુક્તિનાં નામ કહ્યાં છે. પૃષ્ઠ ૩૭. શ્રી મહાવીર તથા શ્રી ઋષભદેવનો પ્રમાદકાલ અંતર્મુહર્ત તથા અહોરિ; ઉપસર્ગો શ્રી પાર્શ્વનાથ તથા શ્રી મહાવીરને જ થયા બીનાને નહિ. શ્રી ઋષભદેવ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ, તથા શ્રી મહાવીર આર્યું તેમ જ અનાર્ય, દેશોમાં વિચર્યા, શેષ તીર્થકરો માત્ર આર્ય દેશમાં જ વિચર્યા. પછી ૨૪ જિનતપ, જિનદીક્ષા-બંત પરિવાર, જિનવલા, દેવદૂષ્ય તથા તેનો કાળ, જિનજ્ઞાનતપ, જિનમોક્ષપરિવાર, યુગાન્તકર ભૂમિ તથા પર્યાયાન્તકર ભૂમિ વર્ણવી વસુધારા ઉત્કૃષ્ટી સાડા બાર કરોડ સુવર્ણની તથા જધન્ય સાડા બાર લાખ સુવર્ણની કહી છે, પૃષ્ટ ૩૮. આહાર પુરુષનો બત્રીસ કોળિયાનો ને સ્ત્રીનો અઠાવીસ કોળિયાનો કહી, કોળિયાનું પ્રમાણ બતાવી, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, તથા ગણાધિપતિના આવશ્યક ગુણો કહી, અઢાર દે શ્રેહાચર્ય કહી, રસાલું નામક રાજ્યને યોગ્ય પાક બે પલ ઘી, એક પલ મધ, આ અઠક દહિં, વીસ મરી, તથા દશ પલ શાકર અથવા ગોળથી થાય છે તે કહ્યું છે. દિવસના ત્રણ પહોર પછી અકાલ ગમનને લઈ ચારિત્ર દોષની સંભાવનાના કારણે, સાધ્વી તથા શ્રાવિકા સમવસરણમાં ન જાય. પૃષ્ઠ ૩૯. પછી નવ પ્રકારે ત્યવંદના વર્ણવી છે. મતિજ્ઞાન ને પ્રતજ્ઞાન પક્ષ છે તથા બાકીના જ્ઞાન આપ્રત્યક્ષ છે. મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની તથા કેવલી છ દ્રવ્ય જાણે, અવધિજ્ઞાની માત્ર પુલિદ્રશ્ય જાણે, ને મન:પર્યવજ્ઞાની મનચિંતગ્યા પર્યાય પણ જાણે એ કહી, મતિ, શ્રત, અવધિ તથા મન:પર્યંવના ભેદપભેદ વર્ણવી, કેવળજ્ઞાનના એકલું, અસહાય, અસાધારણ, અનંત, શેષરહિત ને કેવળ એમ છ અર્થ કહ્યા છે. પૃષ્ઠ ૪૦. કરીની જેમ સ્વાભાવિક રીતે અથવા ઉપચારથી કર્મની નિર્જરા અકામને સકામ બે પ્રકારે હોય. શ્રીજિનદત્તસૂરિએ કહ્યું છે કે ઘાર્મિક પુરુષ ધર્મરક્ષાર્થે યુદ્ધ કરતાં અન્યને મારે તો પણ તેને ધર્મ થાય ને ક્રમે મોક્ષ પામે, મૂલ્યથી પુષ્પાદિ મળતા હોય તો વાડી ન કરાવે ને રથાવર મિલકત વરસાવી ને દેવદ્રવ્યનો સંગ્રહ કરી ન વધારે. મરણસત્ર પુરુષ કણ ફેડવા કે ભક્તિથી ઘર હાટ આપે તો તે જિનચૈત્યમાં હાસ્ય કીડા હોડ જે, રાત્રે દહેરામાં સાન, નંદિ તથા પ્રતિષ્ઠા ન કરે તથા સ્ત્રીને ન આવવા દે. નિષ્ઠિ કારણથી દીક્ષાનો પ્રતિબંધ અતિ અયોગ્ય માટે કહ્યો છે, છતાં દીક્ષાથી ભ્રષ્ટ થનારને પણ પૂર્વે આપેલી દીક્ષા મુક્તિના બીજરૂપ છે. સાધુએ પ્રચ્છન્ન ભોજન કરવું, જેથી કર્મ બંધ ન થાય. દીક્ષા માટે જધન્યથી વય પ્રમાણ આઠ વર્ષનું ને ઉત્કૃષ્ટપણે આરોગ્ય હોય ત્યાં સુધીની વય કહી છે. તેથી ઓછી વયનાં પરાભવ પાત્ર થાય છે, ચારિત્રનો ભાવ પણ પ્રાચઃ ત્યારે પરિપાક પામતો નથી, પૃષ્ઠ ૪૧. કર્મના ક્ષચોપશમથી થતાં ચારિત્ર્ય ને બાલકપણાને વિરોધ નથી તેથી બાલદીક્ષિતને એકાંત અયોગ્ય કહેવા અસદૂગ્રહ છે. દીક્ષામાં ચૌદસ, પુનમ, આઠમ, નોમ, છઠ, ચોથ, તથા બારસ વર્જવી. ત્રણ ઉત્તર તથા રોહિણીમાં દીક્ષા, અનુજ્ઞા તથા મહાવ્રત આપે. દીક્ષામાં ત્યારે નક્ષત્રો ને તેથી થતાં અનિષ્ટ ફળ કહ્યાં છે. દીક્ષા આપતાં ત્યવંદન કરે, ૨હરણ આપી, લોચ કરી, સામાયિક-કાઉસગ્ન કરી, સામાયિક ત્રણ વખત ઉચ્ચરે ને ત્રણ પ્રદક્ષિણા દે. શિષ્યને ગુરુ પોતાની ડાબી બાજુએ બેસાડી દરેક વ્રત ત્રણ વખત ઉચ્ચારી છે. પદ્મવસ્તુક પ્રમાણે ચિત્યવંદન ને વર્ધમાન સ્તુતિ કરે–એવો પાઠ છે. ચૌદ નિયમ કહ્યા છે. પૃષ્ઠ ૪૨. - તલથી માંડી પૃથ્વીનું કોઇક કહ્યું છે. જાતિ-રમરણથી પૂર્વના એકથી નવભવ જાણે. સાત નિવો ને દિગંબરની ઉત્પત્તિની સાલો તથા સ્થળો આપ્યાં છે. પણ ૪૩. આધાકર્મ પરિણતિવાળી શુદ્ધ ભોજન કરે તો ય કર્મ બાંધેને શુદ્ધ આહારની શોધ કરનાર આધાકમાં આહાર લે તો પણું શુદ્ધ હોય. શ્રીપાદલિપ્તાચાર્યની માંત્રિક શકિત દેખાડનારી ગાથા છે કે તેઓ જનુ પર જેમ જેમ તર્જની માટે-ફેર છે તેમ તેમ મુડ રાજાની મસ્તક વેદના નાશ પામે છે. દુમતિવાળા કામીઓ કર્મ બાંધે ને વિરક્ત ન બાંધે તે લીલા ને સુકા બે માટીના ગોળામાંથી લીલો કરીને ચાટે ને સૂકો ન ચોટે તે પરથી કહ્યું છે. ચક્રવતીના નવનિધાનોનો નામોલ્લેખ કર્યો છે ને તેની મંજીષાનું પ્રમાણુ કહ્યું છે. જે કે (ઍવનકાળ સમીપ આવતાં) દેવોના તેજનો દ્વારા થાય છે છતાં તેમની પસંપદા અસંખ્ય ગણી હોય છે. 'પૃષ્ઠ ૪૪. તીર્થંકરના જન્મ મહોત્સવ આદિ પ્રસંગે બનવાસિ શંખનાદથી, વ્યંતરો પડહના નાદથી, જ્યોતિષી સિંહનાદથી, ને કશ્યાધિક દેવો ઘંટનાદથી રાસંશ્ચમ ૯ઠી સર્વ સદિધી મનુષ્ય ક્ષેત્રમાં જ છે. શ્રી સીમંધરસ્વામિના જન્મ દીક્ષા ને સિદ્ધિના સમય કહ્યા છે, મંત્રીના ત્રીશ ગુણ કહી, ગુરનું મહત્ત્વ દર્શાવી, ચૉમાં પશુ-હિંસા ચુક્તિ-સંગત નથી તે ઉપહાસપૂર્વક કહ્યું તથા એશિયા કહેવા અસહ ક ૧ કહ્યું છે. "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72