Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 14
________________ 10 • પ્રસ્તાવના : છે. બાર-તેર-ચૌદ ગાથામાં અસતુ વસ્તુની જ્ઞપ્તિ અને ઉત્પત્તિ ઉભયનો નિષેધ કરી અસત્કાર્યવાદને અયુક્તિક સાબિત કરેલ છે. પંદરમી ગાથામાં બીજી-ત્રીજી ઢાળનો એકીસાથે ઉપસંહાર કરતા જણાવેલ છે કે દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે એકાંતે ભેદ તૈયાયિક માને છે. સાંખ્ય એકાંતે અભેદ માને છે. આ બંન્ને એકાંતવાદી હોવાથી મિથ્યા છે. ભેદભેદ માનવામાં જ શ્રેય રહેલ છે, સુયશ રહેલ છે. ચોથી ઢાળની પહેલી ગાથામાં : શિષ્યએ વિરોધ ઉભો કર્યો છે કે એક વસ્તુમાં ભેદ અને અભેદ શી રીતે સંભવે ? કેમ કે તે પ્રકાશ અને અંધકારની જેમ અરસ-પરસ વિરોધી છે. એના જવાબમાં ગુરુશ્રીએ શ્રુતજ્ઞાનની મહત્તા બતાવવા પૂર્વક સમજાવવા પ્રયત્ન કર્યો છે. વળી ત્રીજી ગાથામાં : પ્રત્યક્ષ પ્રમાણ અને તર્ક સાથે જણાવ્યું છે કે જેમ એક જ કેરીમાં ખાટો-મીઠો બંને રસ સાથે હોય છે, લીલોપીળો રંગ પણ સાથે હોય છે. એમાં કોઈનો વિરોધ નથી. વળી ચોથી ગાથામાં-પહેલા ઘડો શ્યામ હોય છે પછી રાતો થાય છે. એવી રીતે ઘડામાં પણ શ્યામત્વ-રક્તત્વ બંને ભાવ સાથે જ છે, આવા જ તર્કથી આગળ વધતા ગાથા ૫ મી માં : એક જ વ્યક્તિમાં બાળકપણું, જુવાનપણું વગેરે સંભવે જ છે. તેમાં સહુનો અવિરોધ જ છે. ગાથા છઠ્ઠીમાં : તે રીતે એક જ ધર્મીમાં ભિન્ન ભિન્ન ધર્મ સાથે હોય જ. ગાથા ૭મી માં : ભેદભેદમાં જૈનમતની જ જીત બતાવી છે. એ જ ભેદભેદની સિદ્ધિ માટે ગાથા ૮ મી અને ૯ મી થી નય અને સપ્તભંગીની પ્રરૂપણા પ્રારંભેલ છે. ૧૦ મી ગાથામાં : પર્યાયાર્થિકનયથી દરેક વસ્તુ ભિન્ન છે અને દ્રવ્યાર્થિકનયથી અભિન્ન છે - એવી ચોખવટ બાદ ૧૪ મી ગાથા સુધી પ્રાયઃ કરીને સપ્તભંગીથી વસ્તુને ભિન્નભિન્ન ચકાસી છે. છેલ્લી ગાથા ૧૪ મી માં સપ્તભંગીના અભ્યાસથી જ જૈનત્વ ગણવા લાયક દર્શાવેલ છે. બાદ ૫ મી ઢાળમાં ૧ લી ત્રણ ગાથામાં : ત્રિતયાત્મક દ્રવ્ય-ગુણ-પર્યાયનો નયસાપેક્ષ વિચાર કર્યો છે. ગાથા ૪ થીમાં : નય અંગે શક્તિ અને લક્ષણાની વિચારણા કરાઈ છે. ગાથા ૫ મી માં : એક નયમાં બીજા નયની સાપેક્ષતા સૂચવી છે. ગાથા છઠ્ઠીમાં ભેદભેદના નિર્ણય માટે શાસ્ત્ર-ગ્રંથોના આધારો મૂક્યા છે. ગાથા ૭ મી : માં દિગંબરના નય-ઉપનયની વંચનાને ઉઘાડી પાડવા સફળ પ્રયાસ કર્યો છે. ગાથા ૮ અને ૯ માં : દિગંબર મતાનુસારના દ્રવ્યાર્થિકાદિ નવ નય અને ત્રણ ઉપનયની વિવક્ષા કરી છે. ગાથા ૧૦ થી ૧૯ સુધીમાં દિગંબરીય દેવસેનજી મતાનુસાર દ્રવ્યાર્થિકનયના દશ ભેદો પ્રરૂપ્યા છે. આ રીતે કુલ ૪૮ ગાથામાં પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મ. શ્રીએ ઘણું ઘણું ગૂંચ્યું છે. કેટલું ગૂંચ્યું છે - તે હું તો શું કહું ? આ પુસ્તક જ કહી શકશે કે કેટલું ગૂંચ્યું છે. હું તો માત્ર એટલું જ કહીશ કે આ પુસ્તક એટલે પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે રચેલ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસનું સંક્ષિપ્ત વિવરણ. હા; સંક્ષિપ્ત વિવરણ. પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે ૩-૪-૫ ઢાળમાં રચેલ ૪૮ ગાથા પર ગણિવર શ્રીયશોવિજયજી મહારાજ દ્વારા પરામર્શ(ટીકા)રૂપે વિસ્તારાયેલ વિવરણ ઉપરથી અનુમાન કરું છું કે સુજ્ઞ ગણિવર્યશ્રીએ પણ સંક્ષિપ્તમાં જ વિવરણ કર્યું છે. હા, આમ તો પરામર્શરૂપે ઘણું ઘણું વિવરણ કર્યુ છે. ઢાળ - ૩ જી, ૪ થી અને ૫ મી ઢાળના વિવરણ પરથી સહજ સમજાય છે કે તેઓશ્રીનો જ્ઞાનાભ્યાસ ઘણો બહોળો છે. તેઓશ્રીએ જૈન-જૈનેતર

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 482