Book Title: Dhanpal Panchashika Author(s): Karpurvijay Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ આપતાં, એક ડોશીને છેડીને સંવાદ કહી સંભળાવતાં અને રાજાએ દેવપૂજા કરવા મોકલ્યા ત્યારે અન્ય દેવને છેડીને શ્રી શાંતિનાથજીની પૂજા કરી આવતાં-ધર્મનું રહસ્ય બતાવીને, જૈન ધર્મમાં ત્રિકા બસ શા પણ વિદ્યમાન છે એવી ખાત્રી કરી આપીને, હિંસાને સર્વથા નિષેધ પ્રતિપાદન કરી દઈને, ખરૂં દેવપણું કેનામાં છે એ સિદ્ધ કરી આપીને, તેમજ અનેક વખત કાવ્ય ચમત્કૃતિઓ બતાવી આપીને તેણે ભેજ રાજાને અત્યંત પ્રસન્ન કર્યા અને પંડિતમાં અગ્ર પદ મેળવ્યું. આ સર્વ પ્રસંગે ઉપર બતાવેલા સ્થળોએથી જાણી લેવા. અહી વિસ્તાર થઈ જવાના કારણથી તે સર્વ બતાવવામાં આવ્યા નથી. એકદા રાજાએ તેની સભામાં આવવાની શિથિલતા જાણીને હમણું શું કાર્યમાં રોકાયા છે ? એમ પૂછ્યું. તેના ઉત્તરમાં ધનપાળે કહ્યું કે “હમણા શ્રી ઋષભદેવ ચરિત્ર રચું છું” રાજાએ તે સાંભળવાની ઈચ્છા જણાવી. ધનપાળે સાવંત સંભળાવ્યું. રાજા તેની કૃતિથી બહુજ પ્રસન્ન થયે. પ્રાતે ભેજરાજાએ કહ્યું કે “આ ગ્રંથમાં કથાનાયક તરીકે મારું નામ, અયોધ્યાને સ્થાનકે અવન્તીનું નામ અને શકવતાર તીર્થને સ્થાનકે મહાકાળનું મંદિર એટલે ફેરફાર કરી દે તે તમે જે માગે તે આપું.” ધનપાળ બેલ્યો કે “ખત ને સૂર્યમાં, સરસવ ને મેરુપર્વતમાં, કાચ ને કાંચનમાં અને ધતૂરક ને કલ્પવૃક્ષમાં જેટલું અંતર છે એટલું એ બેમાં પરસ્પર અંતર છે.” ઈત્યાદિ વચને કહેતાં ભેજરાજાએ એકાએક કપાયમાન થઈને તેની અસલ પ્રતિ અગ્નિમાં નાંખી બાળી દીધી. ધનપાળને બહુ ખેદ થયે.એ સ્થિતિમાં શોકાતુર ચિત્ત ઘરે આવતાં તેની પુત્રી તિલકમંજરીએ બુદ્ધિ ૧ ગેરહાજરી. ૨ ખજુવો. ૩ ધતુરે. - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 64