________________
૨૦
અમરેલીની કામાણી ફોરવર્ડ સ્કૂલમાં તથા કોલેજમાં પિતાશ્રી ભીમજી કુરજીના નામે સારી એવી રકમ આપી છે. ભાવનગર, રાજકોટ, ધારી વગેરેની લાહાણા એડિંગમાં પેાતાને ત્યાંના લગ્ન પ્રસંગે ચેગ્ય રકમ આપ્યા કરી છે. વીરપુર જલાબાપાની જગ્યાએમાં કામનાથ મહાદેવના મંદિરમાં અને અન્ય ધાર્મિક જગ્યાએમાં તેમનું દાન ઝળકી ઉડયું છે. અમરેલીમાં એકપણ સરથા એવી નહી હોય કે જેમાં તેમનુ દાન અને હિસ્સો ન હાય.
શ્રી જગમેાહનદાસ માધવજીભાઇ સંઘવી.
કચ્છ કાઠિયાવાડની ધન્ય ભૂમિએ જે કેટલાક ધર્મ શ્રદ્ધાળુ મહાનુભવો અને દાનવીર નવરત્નાની સમાજને સુંદર ભેટ ધરી છે એવા નામાંકિત કુટુ એમાં જગમોહનદાસ સંઘવીના કુટુંબે ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્ષેત્રે એક અનાખી ભાત પાડી
સૌરાષ્ટ્રના ભાતીગળ ધૃતિહાસમાં નવું તેજ પુર્યું છે. સાવરકુંડલા પાસેનું વાંશીયાળી ગામ તેમનું મૂળ વતન જીવનમાં કાંઇક કરી છૂટવાની ખ્વાયેશ ધરાવતા આ કુટુંબને વિશાળ ક્ષેત્રે જોઈતુ હતુ. એટલે ૧૯૪૧ થી ભાવનગરમાં આવી વસવાટ કર્યાં. જો કે આમ તે છેલ્લા પચાસ વર્ષથી આ કુટુબ રંગ રસાયણને ક્ષેત્ર મુબઈમાં જાણીતા બન્યા હતા. ભાવનગરમાં ધંધાની કેટલીક શકયતાએ તપાસી ત્યાં પણ રીંગ ઉદ્યોગની શરૂઆત કરી અને તેમના કાર્યાંદક્ષ પુત્રાએ ભાવનગરના વહીવટ સભાખ્યું. શરૂઆતથીજ સારી એવી પ્રગતિ હાંસલ થતી રહી તેથી પ્રેરાઇને તે વખતે શ્રી. મનુભાઇ શાહે આ કારખાનાની મુલાકાત લઈ સંચાલકોની દીર્ઘ દૃષ્ટિની મુક્ત કંઠે પ્રશ'સા કરી હતી. સમય જતા આ કારખાનાનું વિસ્તરણ કરી નવીન ઈન્ડસ્ટ્રીઝ ૧૯૬૧માં ભાવનગરમાં કોંગ્રેસ અધિવેશન વખતે સ્થાપી અને નવીન ઇન્ડસ્ટ્રીઝનું કામ વિશાળ પાયા ઉપર રેગ્યુલર રીતે ચાલવા માડયું. ૧૯૬૫ સુધીમાં રંગની ઘણીખરી આઈટમે આવરી લીધી. ભવિષ્યમાં વધુ રીસર્ચ અને મશનરી સંબધે પ્રય ના શરૂ થયા છે. ધાર્મિક અને પરમાર્થિક સંસ્કાર વારસા પણ આ કુટુમ્બને મળેલા છે. કેલેજનુ ઉચ્ચ શિક્ષણ નહિ લીધા છતા ખૂબજ જ્ઞાની અને અનુભવી છે. ધંધાના સંચાલનમાં શ્રી નવલભાઈ, નવીનભાઈ વગેરે સાથે રહીને ઉજજવળ પગદંડી પાડી રહ્યા છે. આવું બેલવુ છતાં અમૃતભરી વાણી; થોડા શબ્દોમાં ઘણું કહેવુ' એ એમના ગુણુ છે. કોઇપણ સમાજની આબાદી પૂરી કેળવણી વગર શકય નથી તેમ તેઓ
માને છે.
મોટી અનેક સંસ્થાઓને આર્થિક હુંફ આપતા રહ્યા છે. સાહિત્યક પ્રવૃત્તિઓને પણ મેળે મને મદદ કરી છે. તેમનુ આખુ એ કુટુંબ ખૂબજ સસ્કારી અને કેળવાયેલુ છે.
Jain Education International
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
સાવરકુંડલામાં માધવજી રવજી સંઘવી કામકોલેજ એકલાખ અને પચીક્ષ હજારનું ડોનેશન આપી શરૂ કરાવી.
ડે. જયરામભાઇ એમ. પટેલ.
જૂના ખરેડા સ્ટેઇટના દામનગર તાલુકાના સાખપુર ગામમાં તા. ૨૪-૧૦-૧૭ ના રોજ તેમના જન્મ થયે. પ્રાથમિક શિક્ષણ સાખપુરમાં લીધુ અને ત્યારબાદ ભાવનગર સનાતન ધર્મ હાઇસ્કૂલમાં ૧૯૩૭ માં મેટ્રીક પાસ કરી ઇન્ટર સાયન્સ સુધીનું શિક્ષણ ભાવનગર શામળદાસ કોલેજમાં લઈ ૧૯૩૯ માં અમદાવાદ બી. જે. મેડીકલ સ્કૂલમાં એલ.સી.પી. એસ. ના અભ્યાસમાં જોડાયા, ૧૯૪૩ માં એની પરીક્ષા પહેલા નબરે પાસ કરી. ત્યારબાદ નાદુરસ્ત તબીયતને કારણે એકાદ વર્ષ સીરજ સારવાર લઈ ૧૯૪૭ માં ગારીયાધારમાં પ્રાઇવેટ પ્રેકટીસ શરૂ કરી. પેાતાના વ્યવસાયની સાથે જાહેર પ્રવૃત્તિમાં પણ સક્રિયપણે રસ લઇ રહ્યાં છે. ભાવનગર જિલ્લા પંચાયતના સભ્ય પણ છે. નાની મેાટી અનેક પ્રવૃત્તિએ સાથે સકળાયેલા છે.
કુ. ચેાતિબેન થાનકી.
અશાસ્ત્રના અધ્યાપક પણ સંસ્કૃત લઇનેય M, A. થયેલાં કુ. યાતિબહેન ધર્મતત્વના ઈતિહાસ અને સંસ્કૃત સાહિત્યના પણ ઊંડા અભ્યાસુ છે. શ્રી અરવિંદ આશ્રમ પોંડિચેરીના સાધિકાબહેન જ્યેાતિબહેન દરવર્ષે પાંડિચેરી પહેાંચી ત્યાંના શ્રી અરવિંદ શિક્ષાકેન્દ્રમાં માનદ સેવા પ્રદાન કરે છે. સરલ સ્વભાવના માયાળુ યાતિબહેન શ્રી માતાજીની ભક્તિથી રામ રામ ર’ગાયેલા સાધિકા પણ છે. પારખ દર ગુરૂકુલ મહિલા કોલેજના અધ્યયનશીલ અધ્યાપક છે.
શ્રી જાફરઅલી ફાજલઅલી મન્ટ
સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા મહુવામાં તેમનો જન્મ થયે જરૂરીયાત પૂરતી કેળવણી મેળવી નાની ઉંમરમાંથી જ ધંધાકીય ક્ષેત્રે ઝંપલાવ્યું. એઇલ મીલના ધાંધામાં ઘણા વર્ષોથી પોતાની આપસુઝથી આગળ આવી ધંધાને સ્થિર કર્યાં છે. ૨૬-૬-૬૨ નારાજ તેમના સ્વર્ગવાસ થયા પણ તેમના જીવનકાળ દરમ્યાન સામાજિક સેવા પણ ભુલ્યા નથી. મહુવાની નાની મેાટી સામાજિક સંસ્થાઓને અને જ્ઞાતિનાં બાળકોની કેળવણીમાં પ્રસંગાપાત આર્થિક સહાય આપીને એક સુંદર યાદ મૂકતા ગયા છે. તેમના પુત્રો પણ ઘણા જ પ્રેમી માનવતાવાદી છે અને મહુવાના સાર્વજનિક કામેામાં યત્કિંચિત ફાળો આપતા રહ્યાં છે.
***
For Private & Personal Use Only
www.jainelibrary.org