Book Title: Bharatiya Asmita Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1033
________________ ૧૦૨૮ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ સર્જન કર્યું. ડેરીને પગલે ઢેરાના સમતલ પશુ આહાર માટેનું રૂા. ૩૫– પાત્રીસ લાખના ખર્ચે કેટલફીડ ફેકટરીનું પણ આયેાજન મૂર્તિમંત કરી શરૂ કર્યું. પશુ સંવર્ધન માટેના આયેાજનો ઘનીષ્ટ પશુ સંવર્ધન યેજના તથા કેન્દ્રીય સુરતી ભેંસ સુધારણાનું રૂા. એક કરોડને ખરચે તૈયાર થતું કેન્દ્ર પણ સુરત જિલ્લામાં લાવવામાં તેમણે અગત્યને ફાળે આપે છે. સને ૧૯૬૦-૬૧ થી ૬૯ સુધી સુરત નગરપાલિ- કાના સભ્ય તરીકે ૧૯૬૭ થી ૬૯ સુધી મહાનગરપાલિકામાં નગર આયોજન અને શહેર સુધારણા કમિટિના ચેરમેનપદે તથા ગૃહમંડળીઓના વિકાસને યશ તેમને ફાળે જાય છે. એ જ દૃષ્ટિથી તેમણે આ શહેરમાં સૌ પ્રથમ બહુમાળી મકાનની શ્રેયસ સહકારી ગૃહ મંડળી બનાવી સરકારે તેમની જાહેર સેવાની કદર કરી સને ૧૯૬૧ માં માનદ મેજી સ્ટેટ બનાવ્યા. સુરત જિલ્લા સહકારી યુનિયન જેવી જિલાની અગ્રણી સંસ્થાના છેલ્લા વર્ષોથી તેઓ તેના ઉપાધ્યક્ષ તરીકે સને ૧૯૬૭-૬૮ થી અત્યાર સુધી સુરત ટેક્ષટાઈલ મારકેટના માનદ મંત્રી તરીકેની ખાસ ફરજ બજાવી રહ્યા છે. બે કરોડના ખર્ચે તૈયાર થતી ગુજરાતમાં વધુમાં વધુ દુકાન ધરાવતી વિશાળ ટેસ્ટાઇલ મારકેટના આયેાજન અને રચના કરવામાં, સહકારી સ્વરૂપ આપવામાં તેમણે આદ્ય પ્રણેતા તરીકે અગત્યનો ભાગ ભજવ્યું છે. ટેક્ષટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલ શહેરની જાણીતી ટેક્ષટાઈલ કલબના વિકાસમાં તેમણે દશ વર્ષના લાંબા ગાળાની સેવા આપી છે. માનદ મંત્રી, ઉપ પ્રમુખ અને પ્રમુખના સ્થાન ઉપર રહી તેના વિકાસમાં સુંદર ફાળો આપે છે. સને ૧૯૭૦ માં દેશ પરદેશમાં આંતર રાષ્ટ્રીય ખ્યાતી પામેલા મહાન સંતરત્ન આફ્રિકા, લંડન વગેરે દેશમાં સ્વામિનારાયણ અને હિન્દુ ફીલેફીના પ્રચાર અર્થે તેમના સંતમંડળ સાથે ગયા ત્યારે શ્રી આશાભાઈ પણ તેમના મિશનમાં જોડાયા હતા. અમેરિકા, લંડન થઇ કાન્સ, જર્મની, હાલેન્ડ, બેલજીયમ, ડેનમાર્ક, સ્વીડન, રેમ વગેરે દેશમાં ફરી બધા દેશની ડેરી અને સહકારી ચળવળની પ્રવૃત્તિને અભ્યાસ કર્યો. બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમની સંસ્થાના સક્રિય દ્રસ્ટી છે. મિત્રો અને સંબંધીઓનું વિશાળ વૃંદ ધરાવે છે. તે ના સેલ એજન્ટ છે. નાનપણથી જ શિક્ષણ પ્રત્યે લાગણીશીલ હોવાથી પિતાના ૧૦૮ ગોળના બાળક માટેની શિક્ષણ સંસ્થા વિદ્યાર્થીગૃહ શરૂ કરવામાં તેઓ અગ્રણી હતા. આ સંસ્થાના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપી અને સંસ્થાના વિકાસ માટે હર હંમેશ જાગૃત રહેતા હતા. વૃદ્ધાવસ્થા હોવા છતાં જીવનભર આ સંસ્થા માટે તન-મન-ધનથી સેવા કરી એટલું જ નહિ પણ મહેસાણામાં સંસ્થામાં જૈન મંદિરના નિર્માણ માટે રૂ. ૧૬૦૦૧ જેવી રકમનું દાન આપ્યું હતું. આ ઉપરાંત મહાવીર જૈન વિદ્યાલયને રૂ. ૨૫૦૦૦/-ના બે દ્રો આપીને બે વિદ્યાર્થી સ્કોલર આપ્યા છે. તેઓ ઉદાર ચરિત-વિદ્યાપ્રેમી અને કાર્યકુશળ હતા. પિતાના ગેળની ઉન્નતિ માટે સદા જાગૃત રહેતા અને સમાજ તથા ધર્મ પ્રત્યે ખંત અને ચીવટથી કાર્ય કરતા રહ્યાં. તેમના ધર્મપત્ની પણ ધર્મનિષ્ઠ અને ગુણાનુરાગી છે. પિતાના પુત્રો અને કુટુંબની એક્યતા જળવાઈ રહે તે ભાવનાથી ગોરેગામમાં લક્ષ્મીકુજમાં આખું કુટુંબ રહી શકે તેવી સુંદર વ્યવસ્થા કરી છે. ૭૩ વર્ષની ઉંમરે લીલીવાડી અને બાળ પરિવાર અને સંપી ચીર શાંતિમાં પિઢી ગયા. મહેસાણાના વિદ્યાર્થી ગૃહ તથા ગળ અને સ્નેહિજનોને તેમના જેવા સહૃદયી આત્માની ન પૂરાય તેવી ખોટ પડી છે. શ્રી ગિરધરલાલભાઇ બ્રહ્મભટ્ટ નડીયાદના વતની છે. બોમ્બે યુનિવર્સિટીની મેટ્રીકયુલેશનની પરીક્ષામાં ઉત્તિર્ણ થઈ સરસ્વતિ હાઈસ્કૂલ નડીયાદમાં શિક્ષક તરીકે થેડે સમય કામ કર્યું. તે પછી રેવન્યુ ખાતામાં પરિશ્રમ અને પ્રમાણિકતાથી ક્રમે ક્રમે ડેપ્યુટી કલેકટર સુધીના દરજજે પહોંચ્યા. ૧૯૬૭માં નિવૃત્ત થયાં અને અમદાવાદ મ્યુનિ. કે.માં પાંચેક વર્ષ કામ કર્યું ભારત સરકારની સીધી નોકરીમાં પણ થોડો સમય જોડાયાં. નિવૃત્તિ બાદ પણ મૂળથી જ નાટય લેખનની તેમની અભિરૂચિ જળવાઈ રહી. કેટલાંક નાટક પ્રસિદ્ધિ પામ્યા કાવ્ય પણ રચ્યા છે જે અનુકુળતાએ ગ્રંથસ્થ થતા રહેશે. વાંચન મનનને શોખ હજુ એજ જળવાઈ રહ્યો છે. શ્રી ગુલાબભાઈ ભીખાભાઈ મહેતા, ગણદેવી તાલુકામાં અજરાઈ ગામમાં જન્મ થયો. - ૧૯૪૨ માં “હિન્દ છોડે’નું રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ થયું. અનેક ઠેકાણે ભાંગફેડની પ્રવૃત્તિઓ શરૂ થઈ. એક વ્યવસ્થિત દળ ઉભું થયું જેમાં શ્રી ગુલાબભાઈએ આગેવાનીભર્યો ભાગ ભજવ્યો પરિણામે ૧૯૪૩ ના જાન્યુઆરીમાં કેટલાંક સાથીઓ સાથે એમની ધરપકડ થઈ અને ઈ. સ૧૯૪૪ માં દોઢ વર્ષ જે લે કારાવાસ ભોગવી જેલમાંથી મુક્ત થયા. જેલમાંથી છૂટયા બાદ એમણે ખેતીના વ્યવસાયમાં સ્થિર થવાનું નકકી કર્યું. “ખેતી વિકાસ સહકારી સંઘ લી.” નામની સંસ્થા શરૂ શેઠ શ્રી કેશવલાલ મનસુખલાલ પાટણ તાલુકામાં કંથરાવી ગામના શ્રી કેશવલાલભાઈ નાની ઉંમરમાં કલકત્તા જઈ પહોંચ્યા સાહસિક અને દીર્ધદૃષ્ટિથી વ્યાપારમાં ઝંપલાવ્યું. ધીમે ધીમે આગળ વધ્યા. કલકત્તાથી મુંબઈ આવ્યા. અહીં શેર બજારનું કામ કરતાં કરતાં ભારત કોલટાર સપ્લાઈંગ કુ. શરૂ કરી તેમાં ખૂબજ પ્રગતિ કરી અને ધંધાને વિકસાવ્યો. શિવરી અને કુરલામાં ડ્રમને અને કેલટારને ધંધો ચાલે છે બબ્બે ગેસ કુ. લી. Jain Education Intemational For Private & Personal Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042