Book Title: Bharatiya Asmita Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 965
________________ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ સામાન્ય સંગમાંથી આપબળે “શુન્યમાંથી સર્જન” કરનારાઓમાં ભાઈશ્રી શરદભાઈ એક છે. જેઓ આજે ટીન પ્લેટ લાઈનના વ્યવસાયમાં ખૂબજ લેકપ્રિય છે. એટલું જ નહી પણ ખૂબ ઉંચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શક્યા છે. વ્યાપારી ક્ષેત્રે માનવીના જીવનની ઉન્નતી અને વિશાળ પ્રગતીનું મુખ્ય પાન જો કોઈ પણ હોય તે ધંધાની પ્રમાણિકતા જ છે પ્રમાણિકતા એની પાછળ પ્રતિષ્ઠા અને સાથે પૈસાને પણ ખેંચી લાવે છે. આ વાતની સત્યતા શ્રી શરદભાઈના વ્યાપારી જીવનમાં જેવા, અનુભવવા મળે છે. તેઓશ્રીએ પિતાના ધંધામાં પ્રમાણિકતા ને પ્રધાનતા આપી છે. જે અનેકેને પ્રેરણારૂપ છે. મેળવેલી લક્ષ્મીની સ્થિરતા અને અભિવૃદ્ધિ તો બે કારણોસર થઈ શકે. એક તે સુયોગ્ય રીતે દાન દ્વારા લક્ષ્મીનો સદ્વ્યય અને બીજો ધાર્મિક વૃત્તિપ્રવૃત્તિઓને વિકાસ. ભાઈશ્રી શરદભાઈ કેઈપણ જાતની કીતના મેહમાં પડ્યા વગર પિતાની લક્ષ્મીને દરેક ક્ષેત્રે સદ્વ્યય કરતા રહ્યાં છે. અને છેલ્લા બે વરસથી શાન્તાક્રુઝના શ્રી કુંથુનાથજી જૈન દેરાસરજી ટ્રસ્ટના ટ્રસ્ટીપદે રહી પિતાની સેવા આપતા રહ્યા છે. નાના મોટા સમારંભે પ્રસંગે ઉત્સાહી ઉદાર અને સંસ્કારી એવા ભાવનગરના જ વતની શ્રી શરદભાઈ ગુજરાતી સમાજનું ગૌરવ છે. શ્રી શંભુપ્રસાદ એમ ત્રિવેદી તેમનો સામાજિક સંસ્થાઓ સાથેનો સંપર્ક પણ વધતું જતે હતો તેઓ સંનિષ્ઠ સામાજિક કાર્યકર રાજકીય કાર્યકર, અને ધારાસભ્ય બન્યા. ઇ. સ. ૧૯૩૦-૩૨ દરમ્યાન તેઓ રાજદ્વારી કેદી તરીકે કારાવાસમાં રહ્યા હતા. રચનાત્મક કાર્ય માટે તેઓએ પોતાનું જન્મ સ્થળ સમઢિયાળાને કાર્યક્ષેત્ર બનાવ્યું. અહિં તેઓએ “ગ્રામ સુધારણા સમિતિની સ્થાપના કરી અને વૈદકિય રાહત શિક્ષણ, ગૃહઉદ્યોગ ખેતી સુધારણા, હરિજન પ્રવૃત્તિ વગેરે લેક કલ્યાણનાં કાર્યો કર્યા. શિક્ષણ અને વૈદકીય મદદ એ છે તે જાણે તેમનાં વ્રત હતાં. વીરનગરની અત્યારની બે સંસ્થાઓ “સૌરાષ્ટ્ર સેન્ટ્રલ હોસ્પિટલ અને વીરનગર કેળવણી મંડળ સંચાલિત હાઈસ્કૂલ તથા બાલમંદિરમાં જન્મ અને વિકાસમાં તેની પ્રેરણા અને સદ્ભાવના કાર્ય કરી રહ્યાં છે. તેઓએ દીર્ધદષ્ટિથી વિચારી સ્વ. પ્રયત્ન નાણુ એકઠાં કર્યા જુદાં જુદાં ટ્રસ્ટો કર્યા કે જેથી સંસ્થાઓને નાણાંકિય મદદ મળતી રહે અને કાર્ય અવિરત ચાલ્યા કરે અઢળક સંપત્તિને પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યા છતાં તેઓ આ સર્વેમાં “જળકમળવત્” રહ્યા હતા. લોકેએ તેઓની સેવાના સ્મરણમાં ગામનું નામ બદલીને ઈસ. ૧૯૪૮માં “વીરનગર” રાખ્યું. તેમના વિશાળ હદયમાં દુનિયાના સર્વ લોકોનાં દુઃખ દૂર કરવાની તમન્ના હતી. તેઓએ પૂ. બાપુજીને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે આપણે જગતની પરાધીન પ્રજાને મુકત કરાવવા ફાળે એકઠે કરવો જોઈએ. તેઓની આ વિચારણુ તેઓને આંતરરાષ્ટ્રિય વિચારકની હરોળમાં ગણન પત્ર સ્થાને બેસાડે છે. - ઈ. સ. ૧૧-૧૦-૧૯૫૯ની મધ્યરાત્રીએ આ સંસારમાંથી તેઓએ ચિર વિદાય લીધી. તેઓને દેહ નાશ પામે છે પરંતુ જીવનના સર્વતમૂખી ધ્યેયને સર્વોત્કૃષ્ઠ માર્ગ દ્વારા હાંસલ કરવા જીવાયેલ તેઓનું જીવન જ તેઓના વારસ માટે અમર જ્યોત બની રહેલ છે. - સદાયે મિત–પ્રરાન્ન ચહેરે, પ્રેમ નીતરતી વાણી અને નિરાભિમાનની પ્રતિમૂતિ સમા વીરચંદભાઈને જેઓએ એક વખત નિહાળ્યા છે તેમના માનસપટ પરથી તે તેમનું ચિત્ર કદી વિલીન થશે જ નહિ. શ્રી શરદભાઈ જયંતીલાલ શાહ શરદ જેવાં શાંત, સૌજન્ય પ્રકૃત્તિવાળા, મીલનસાર, સૌના પ્રીતિપાત્ર બને તેવા સુશીલ, વિનમ્ર, સદગુણ ધરા- વતા શ્રી શરદભાઈ યથા નામ તથા ગુણા” જેવા છે. શ્રી શરદભાઈ જે શાહને જન્મ સં. ૧૯૮૧ ના પિષ સુદ ૬ ના રોજ થયો હતે. વ્યવહારિક અભ્યાસ પુરે કરી શ્રી શરદભાઈ એ ફકત ૧૮ વર્ષની નાની વયે ધંધાર્થે મુંબઇ તરફ નજર દોડાવી તેમની આપસૂઝ અને ધંધાની ધગશ તેમના વ્યવસાયની એક ગૌરવભરી સફળતા છે. તદ્દન કપડવંજના ધર્મપરાયણ માતા પિતા પાસેથી પ્રાપ્ત કરેલા શ્રેષ્ઠ સંસ્કાર બીજ તેમના જીવનની અનેક ધાર્મિક આધ્યાત્મિક સેવામય પ્રવૃત્તિઓ રૂપે મહોરી ઉઠીને કેટલાય જીનું માંગલ્ય કરી રહ્યા છે. મેઢ સમસ્ત બ્રહ્મસમાજના ઉપપ્રમુખ તેમજ પ્રમુખ પદે તેમજ ઘાટકોપર બ્રાહ્મણ સમાજમાં પણ તેમની પ્રમુખ તરીકે તેમની સેવા જાણીતી છે. શ્રીમદ્ ભગવતગીતા પાઠશાળાની અધ્યાત્મ વિકાસ પ્રેરક સર્વ પ્રવૃત્તિએમાં તેઓ જે સક્રિય કાર્ય કરતાં રહ્યાં છે અને પરમ પૂજ્ય શાસ્ત્રીજી શ્રી પાંડુરંગ આઠવેલના આશિર્વાદ અને છત્રછાયા પામીને પચીસ વર્ષથી જનતામાં ધાર્મિક સંસ્કારોની વૃદ્ધિ કરનારી પ્રવૃત્તિઓમાં હૃદય પૂર્વક સાથ આપતા રહ્યા છે. તેમની ધર્મક્ષેત્રની વિરલ સેવાભાવનાથી પ્રસન્ન થઈને શ્રીદ્વાર કાપીઠ શ્રીમદ્ શંકરાચાર્ય શ્રી અભિનવ સચ્ચિદાનંદતીર્થ મહારાજે તેમને ધર્મભૂષણ પદવીરૂપે સવિશેષ આશિર્વાદ દીધા છે. તેમની ઓફીસ જ્ઞાતિજનોની સભા ભરવાનું કેન્દ્ર બની રહી છે ત્રણ દાયકાથી તેઓ સફળતા અને કુનેહ પૂર્વક તેમની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસની ત્રિવેદી એન્ડ કુ.નું સંચાલન કરી રહ્યા છે. એ ક્ષેત્રમાં પણ તેમણે પ્રાપ્ત કરેલી પ્રતિષ્ઠાને સદાયે વિસ્તરતી જોઈ છે. ભારતમાં યોજાએલી ચાર્ટડ એકાઉન્ટન્ટની અનેક પરિષદમાં ભાગ લેવા ઉપરાંત ૧૯૬૭ માં પિરીસમાં ભરાયેલી નવમી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકાઉન્ટન્ટસમાં ભારતના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહીને લેવાની વિગત દ્રય યુવક કાપી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042