Book Title: Atma Prakasha 2
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેનું ફલ એક્ષપ્રાપ્તિ છે તેમાં આ ગ્રન્થ ઉપાયભૂત છે અને મેક્ષ ઉપેય છે. મેક્ષાધિકારી થવાને આ ગ્રન્થ ચોગ્યતા બતાવે છે. આ ગ્રન્થ વ્યવહારનું અને નિશ્ચયનું સમ્યક પ્રતિપાદન કરે છે. જો કે આ ગ્રન્થ અધ્યાત્મ શાસ્ત્રનો છે અને તેમાં નિશ્ચયનયનું વિશેષ વર્ણન છે તે પણ વ્યવહારનયને કારણ પરત્વે આદેય બતાવવામાં ખામી રાખી નથી. અધ્યાત્મજ્ઞાનનું વિશેષ વિવેચન કર્યું છે તે અધ્યાત્મજ્ઞાન અર્થે છે, પણ તેથી વ્યવહારને લેપ કરવા માટે નથી. તેમ જ્યાં વ્યવહારનું વિશેષ પ્રતિપાદન કર્યું છે ત્યાં એમ સમજવું કે ભવ્યજનની વ્યવહાર ધર્મમાં પ્રવૃત્તિ સૂચવી છે, પણ નિશ્ચયનયનું ખંડન કર્યું નથી. આ ગ્રન્થમાં પ્રથમ અહંવૃત્તિનું સ્વરૂપ બતાવ્યું છે. ત્યારબાદ અહંવૃત્તિના નાશ માટે ષદ્રવ્યનું તથા સાતનાનું જ્ઞાન બતાવ્યું છે, અને પશ્ચાત્ સાધ્યતત્ત્વ છેલ્લા દુહાઓમાં બતાવ્યું છે. તેમજ જ્ઞાન, કિયા, એ બેથી મુક્તિ મળે છે. એમ સર્વ શાસ્ત્રસારાંશ દર્શાવે છે. એકલા જ્ઞાનથી પણ મુક્તિ નથી તેમજ એકલી ક્રિયાથી પણ મુક્તિ નથી. બેથી મુક્તિ છે. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિ કહે છે કે परस्परं कोऽपि यागः क्रियाज्ञानविशेषयोः स्त्री पुंसयारिवानन्दं, प्रसूते परमात्मजम् ॥ १ ॥ भाग्यं पंगूपमं पुंसां, व्यवसायोंऽवसंनिभः यथा सिद्धिस्तयाोंगे तथा ज्ञानचरित्रयोः ॥ २॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 570